રાયસીના સંવાદમાં ભાગ લેવા આવેલા ઈરાનના વિદેશ પ્રધાન જવાદ ઝરીફે જનરલ કાસિમ સુલેમાનીની હત્યા સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકા દ્વારા ઈરાનનાં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા અંગે વિદેશ પ્રધાન જવાદ ઝરીફે કહ્યું કે સુલેમાની આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ માટે એકમાત્ર ખતરો હતો, પરંતુ હવે તે તેમના મોતની ઉજવણી કરી રહ્યું છે. જણાવી દઇએ કે, હાલમાં જ અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર હવાઈ હુમલો કરીને ઇરાનનાં ચીફ કમાન્ડર કાસિમ સુલેમાનીને માર્યા હતા, ત્યારબાદ ઇરાને પણ મિસાઇલ વડે અમેરિકી સૈન્ય ઠેકાણા પર વળતો હુમલો કર્યો હતો.
જનરલ કાસિમ સુલેમાનીની હત્યાની પૃષ્ઠભૂમિ સામે રાયસીના સંવાદમાં ઈરાનના વિદેશ પ્રધાન જવાદ ઝરીફે કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં બનેલી ઘટનાઓ દુ: ખદ છે. કાસિમ સુલેમાનીની હત્યાની ઘટના અજ્ઞાનતા અને ઘમંડી બતાવે છે, તેની હત્યા સામે દેખાવો ભારતમાં પણ 430 શહેરોમાં થયા હતા. તેમણે વધુમાં કહ્યું કે આપણે નિરાશામાંથી મુક્તિ મેળવવા માટે પ્રદેશમાં આશા ઉભી કરવી પડશે.
જ્યારે પરિસ્થિતિ અંગેના રાજદ્વારી સમાધાન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે ઝરીફે કહ્યું કે ઈરાન, અમેરિકા સાથે વાતચીતમાં નહીં, પરંતુ ઇરાન મુત્સદ્દીગીરીમાં રસ ધરાવે છે. હાલની તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે થયેલા નુકસાનમાં અમારે સેંકડો અબજો ડોલર ખર્ચવા પડ્યાં છે.
યુક્રેન વિમાન દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં ઈરાનના વિદેશ પ્રધાન ઝરીફે કહ્યું કે પેસેન્જર વિમાનને ઉડાવી દેવું ભૂલ હતી. તમને જણાવી દઈએ કે યુક્રેન વિમાન બગદાદ એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. પાછળથી એવા અહેવાલો આવ્યા હતા કે ઈરાની મિસાઇલે પોતે જ યુક્રેન વિમાનને ક્રેશ કર્યું હતું, જેમાં લગભગ 176 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.