જનતા દળ (યુનાઇટેડ) માંથી હાંકી કાઢ્યા બાદ પાર્ટીનાં મહાસચિવ રહેલા પવનકુમાર વર્માએ જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારનો આભાર માન્યો છે. તેમણે ટ્વિટ કર્યું, “નીતિશ કુમાર જીનો આભાર કે, તમે મને અને તમારી નીતિઓનો બચાવ કરવાની મારી સતત પ્રયત્નશીલ સ્થિતિથી મને મુક્ત કરાવ્યો. હું તમને બિહારના મુખ્ય પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા માટે શુભેચ્છા પાઠવું છું.”
Thank you Nitish Kumar ji for freeing me from my increasingly untenable position of defending you and your policies. I wish you well in your ambition of being CM of Bihar at any cost.
— Pavan K. Varma (@PavanK_Varma) January 29, 2020
જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે (29 જાન્યુઆરી) પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર અને મહાસચિવ પવન વર્માની સભ્યતા રદ કરી છે, જેમણે સીએએ અને એનપીઆર પર વારંવાર મુખ્યમંત્રી નીતીશ કુમાર વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા.
જેડીયુએ કહ્યું છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયા બાદ બંનેને હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નીતીશ કુમારે પ્રશાંત કિશોર અને પવન વિશે મીડિયાના સવાલ પર કહ્યું હતું કે જેમને પાર્ટીની નીતિ પસંદ નથી, તેમણે જ્યાં જવું હોય ત્યાં જવું જોઈએ. 15 જાન્યુઆરીએ પણ મુખ્યમંત્રી નીતીશ કુમારે આવું જ નિવેદન આપ્યું હતું. તે જ સમયે, પીકેએ કહ્યું હતું કે નીતિશ કુમાર ખોટી રજૂઆત કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
