રાજ્યમાં આત્મહત્યાની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. સામાન્ય બાબતોમાં લોકો આત્મહત્યા કરવા લગ્યા છે. આવામાં વધુ એક આત્મહત્યાનો બનાવ સુરતથી સામે છે. જ્યાં એક જ્વેલર્સ માલિકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
જણાવીએ કે જ્વેલર્સે નાણાંભીડના લીધે જીવન ટૂંકાવ્યુ છે. આત્મહત્યા કરતા પહેલા આત્મહત્યા કરતા પહેલા જવેલર્સે લાચાર છું મોઢુ બતાવી નહીં શકુ લખીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગ્રાહકોના નાણાં ડૂબી જવાથી પરેશાન થઈને આ જવેલર્સે આત્મહત્યા કરી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
