એર ઈન્ડિયાના પાઇલટ્સે ચેતવણી આપી છે કે, દિલ્હી એરપોર્ટ પર આરોગ્ય અધિકારીઓની ટુકડી ‘બેફામ વર્તન કરી રહી છે. માટે જરૂરી સેવાઓ સિવાયની કોઈ પણ ફ્લાઇટ્સ નહિ ચલાવવમ આવે. એરબસ વિમાનના પાઇલટ્સની સંગઠન ઇન્ડિયન કમર્શિયલ પાયલોટ્સ એસોસિએશન (આઈસીપીએ) એ કહ્યું કે જો આ પ્રકારની ખરાબ વર્તન પાઈલોટો સાથે બંધ નહીં થાય તો અન્ય ફ્લાઇટ્સ ચલાવશે નહીં.
એર ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ પરિચાલન ડિરેક્ટરને લખેલા પત્રમાં, આઈસીપીએએ વંદે ભારત મિશનના પાઇલટ અથવા ઘરેલુ ફ્લાઇટ્સ કોવિડ -19 દ્વારા ચેપ લાગ્યો હોય તેવા કિસ્સામાં પ્રોટોકોલને અનુસરવા સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત પરત લાવવા માટે વંદે ભારત મિશન અંતર્ગત એર ઇન્ડિયા વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચલાવી રહી છે.
તે પત્રમાં જણાવ્યું છે કે,
પત્રમાં કહેવામાં આવ્યું છે કે “દિલ્હી-મોસ્કો ફ્લાઇટના ક્રૂ માટે ૩૦મે ખૂબ જ ખરાબ દિવસ રહ્યો હતો. ફ્લાઇટના પાઇલટને કોવિડ -19 ચેપ લાગ્યો હતો, ત્યારબાદ આખા ક્રૂને આખો દિવસ ત્યાં રાહ જોવી પડી. તે પણ કોઈ પણ ખોરાક કે નાસ્તા વિના. “
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.