Not Set/ રામદાસ આઠવલેની અજીબ અપીલ, ચાઇનીઝ ખાવાનું વેચતા રેસ્ટોરન્ટ પર પ્રતિબંધ મૂકવો જોઇએ

લદ્દાખમાં ચીન સરહદ પર વિવાદ સતત વધી રહ્યો છે. સોમવારે ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાનાં કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા હતા. વળી ચીની સેનાનાં 40 થી વધુ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ચીનનો સામનો કરવા માટે, હવે દેશભરમાં તેના માલનાં આર્થિક બહિષ્કાર માટેની […]

India

લદ્દાખમાં ચીન સરહદ પર વિવાદ સતત વધી રહ્યો છે. સોમવારે ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાનાં કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા હતા. વળી ચીની સેનાનાં 40 થી વધુ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ચીનનો સામનો કરવા માટે, હવે દેશભરમાં તેના માલનાં આર્થિક બહિષ્કાર માટેની ઝુંબેશ ચાલી રહી છે. જેના પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું નિવેદન પણ બહાર આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ લોકોને અપીલ કરી છે કે તેઓ ચાઇનીઝ ખોરાકનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે ચાઇનીઝ ખોરાક વેચતા રેસ્ટોરન્ટ્સ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. આ સાથે તેમણે ચીની ખાદ્ય પદાર્થો અને ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. લોકો તેમના નિવેદન પર તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે ટ્વિટર પર લખ્યું છે કે સર ભારતીઓ ભારતમાં ચાઇનીઝ ખાદ્ય પદાર્થ બનાવે છે અને તેનો ભારતીઓને જ ફાયદો થાય છે. આવી સ્થિતિમાં તેનો પ્રતિબંધ યોગ્ય રહેશે નહીં.

બુધવારે આઠવલેએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, 20 સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય. ચીન એક છેતરપિંડી કરનાર દેશ છે. 1962 માં પણ ચીને કપટથી હુમલો કર્યો હતો, પરંતુ ભારત હવે તે દેશ નથી રહ્યો. ચીનને જવાબ આપવા માટે ભારત પાસે એક મજબૂત સૈન્ય છે. ભારતનાં લોકોએ તમામ ચીની ચીજોનો બહિષ્કાર કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.