કોરોના વાયરસનાં કારણે દેશમાં બે મહિના કરતા વધુ સમય લોકડાઉન રહેતા અનલોક શરૂ થતાં જ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. દેશમાં એક તરફ પેટ્રોલ ડીઝલનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે, સોનુ રેકોર્ડતોડ મોંઘુ થયુ ત્યારે શાકભાજી પણ મોંઘી બની છે.
અમદાવાદનાં જમાલપુર APMC માર્કેટને બંધ કરાતા તમામ નાના શાકભાજી વિક્રેતા અને ફેરિયાઓને શાકભાજી લેવા જેતલપુર જવું પડી રહ્યું છે અને ત્યા આવા જવાનું ભાડુ વધતા તેની સીધી અસર શાકભાજીનાં ભાવમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ટામેટા, બટાકા, ડુંગળી સહિતની શાકભાજીમાં એક કિલોએ 8 થી 10 રૂપિયા ભાવ વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
