તો બીજી તરફ જે વસ્તુઓ પર 18 ટકા GST લાગુ પડે છે તે વસ્તુઓમાં આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ કરાયો છે. આવી કટોકટીભરી સ્થિતિમાં હવે લોકોને આ મહત્વની વસ્તુ પર પણ વધુ ટેક્સ ભરવો પડશે. જીએસટી અંગે ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR) ની ગોવા બેંચે આ આદેશ આપ્યો છે. કંપનીએ કહ્યું, સેનેટાઈઝર આવશ્યક વસ્તુ છે, તો તેના પર GST છૂટ મળશે ?
સ્પ્રિંગફિલ્ડ ઇન્ડિયા ડિસ્ટિલરીઝે એએઆરની ગોવા બેંચને અપીલ કરી હતી, જેમાં કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા સેનિટાઇઝરને વર્ગીકૃત કરવાનું કહેવાયું હતું. કંપનીએ દલીલ કરી હતી કે, આ ઉત્પાદન પર 12 ટકા GST લાગુ પડે છે. ઉપરાંત કંપનીએ એમ પણ પૂછ્યું હતું કે, જો સેનિટાઇઝર આવશ્યક ચીજવસ્તુ છે તો તેના પર જીએસટીમાં છૂટ મળશે.
આ કારણે લગાવાયો 18 ટકા ટેક્સ AARએ જણાવ્યું કે, અરજદાર દ્વારા બનાવવામાં આવેલ હેન્ડ સેનેટાઈઝર આલ્કોહોલ આધારિત છે, તેના પર 18 ટકા GST લાગશે. ઓથોરિટીએ જણાવ્યું કે, ગ્રાહક બાબતોના મંત્રાલયે હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુ તરીકે વર્ગીકૃત કર્યું છે, પરંતુ GST એક્ટમાં જે વસ્તુઓ પણ છુટછાટ મળી હોય છે, તેની જુદી યાદી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.