લોકડાઉન દરમિયાન બંધ રહેલ ડાકોર રણછોડ જી મંદિર અનલોક 2માં 18 જૂને ડાકોરના ઠાકોર રણછોડ જી ના દ્વાર ભક્તો માટે ખુલ્યા હતા. જોકે માત્ર 30 દિવસ બાદ ડાકોર માં 5 કેસ કોરોના ના નોંધાતા અને એક નું મોત નીપજ્યું હતું. સાથે શ્રાવણ માસ માં લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય કોવિડ નું સંક્રમણ ભક્તો યાત્રિકો ને પણ લાગે તેવી શકયતા ને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા 20 જુલાઈ થી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું છે.
જોકે આજે દર્શન સરકારી ગાઈડલાઈન મુજબ બંધ રહ્યા હતા. જેને લઈ આ બાબત થી અજાણ હજારો ભક્તો ડાકોરના ઠાકોર ના દર્શન માટે આવ્યા હતા. જોકે ઠાકોરજી ના બંધ દરવાજા જોતા નિરાશ થયા હતા. અને મંદિરની ધજાના દર્શન કરી બહારથી જ પરત ફર્યા હતા. સમગ્ર શ્રાવણ માસમાં પણ ભક્તો ડાકોરના ઠાકોર રણછોડજી ના દર્શન મંદિર ની વેબસાઈટમાં ઓનલાઈન કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.