રામ મંદિરનું ભૂમિપૂજન આવતીકાલે એટલે કે 5 ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં થવાનું છે. ભૂમિપૂજન પહેલા કોંગ્રેસનો જવાબ આવી ગયો છે. કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, હું રામ મંદિરનાં કાર્યક્રમનાં 24 કલાક પહેલા કોઈ રાજકીય ટિપ્પણી કરીશ નહીં, પણ હું એમ કહેવા માંગુ છું કે ‘રાજકારણનું ધર્મ થઇ ગયુ, ધર્મનું રાજકારણ નહી, તે રામની મર્યાદા છે. આ સાથે રણદીપ સુરજેવાલાએ પ્રિયંકા ગાંધીનું તે નિવેદન વાંચ્યું.
સુરજેવાલાએ કહ્યું કે, રામનું પાત્ર સર્વગ્રાહી છે. રામ બધે જ છે. ગાંધીજીનાં રઘુપતિ રાજા રામ સબકો સમ્મતિ આપવાના છે. રામ શક્તિની મૌલિક કલ્પના છે. રામ સંકલ્પ છે. સહયોગી છે. દરેકની સાથે છે. 5 ઓગસ્ટે શિલાન્યાસ સાંસ્કૃતિક સમાગમનું પ્રતીક બનશે. રાજસ્થાનમાં અશોક ગેહલોતનાં નેતૃત્વથી નારાજ, સુરજેવાલાએ બળવાખોર સચિન પાયલોટ સહીત કોંગ્રેસનાં 19 ધારાસભ્યોની પાછા આવવાની સંભાવનાનાં પ્રશ્ને કહ્યું કે, પહેલા બળવાખોર ધારાસભ્યોએ વાત કરવી જોઈએ અને તે કરવાની પ્રથમ શરત એ છે કે ભાજપને છોડી દે.
સુરજેવાલાએ કહ્યું કે, તેમણે મનોહર લાલ ખટ્ટરની આગેવાનીવાળી હરિયાણાની ભાજપ સરકારનું સુરક્ષા ચક્ર છોડવું જોઈએ. સુરજેવાલાએ કહ્યું, બાળકોની હત્યાઓ થઈ રહી છે, હરિયાણામાં સામૂહિક દુષ્કર્મ થઈ રહ્યુ છે, ગુડગાંવમાં લોકોને ખુલેઆમ મારવામાં આવી રહ્યા છે અને પોલીસ આ માટે ઉપલબ્ધ નથી, પરંતુ આ 19 ધારાસભ્યોની સુરક્ષા માટે એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓ છે. નારાજ કોંગ્રેસનાં ધારાસભ્યોને ભાજપ જે સુરક્ષા આપી રહી છે તેનો અર્થ શું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.