રાષ્ટ્રીય જનતા દળ એ નીતિશ કુમારની આગેવાનીવાળી એનડીએ પર બિહાર ચૂંટણી પરિણામોનાં વલણનો આરોપ લગાવ્યો છે. આરજેડીનું કહેવું છે કે ચૂંટણીનાં પરિણામોની હેરાફેરી કરવામાં આવી રહી છે. વિજેતા ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા નથી. સુશીલ મોદી અને નીતીશ કુમાર પરિણામોને પ્રભાવિત કરવા સત્તાધીશો પર દબાણ લાવી રહ્યા છે.
આરજેડીનાં ટ્વિટર હેન્ડલથી લખવામાં આવ્યુ છે કે, “નીતીશ વહીવટ લગભગ 10 બેઠકો પરની ગણતરીમાં વિલંબ કરી રહ્યો છે. વિજેતા ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા નથી. સીએમ ગૃહમાં બેસીને નીતિશ કુમાર અને સુશીલ મોદી સીએમનાં મુખ્ય સચિવથી તમામ DM અને RO ને ફોન કરાવીને નજીકની લડાઇવાળી બેઠકોનાં પક્ષમાં નિર્ણય લેવાનું દબાણ બનાવી રહ્યા છે.”
क़रीब 10 सीटों पर नीतीश प्रशासन गिनती में देरी कर रहा है।जीते हुए उम्मीदवारों को सर्टिफ़िकेट नहीं दे रहा है। CM आवास में बैठकर नीतीश कुमार और सुशील मोदी CM के प्रधान सचिव से सभी DM और RO को फ़ोन करवा कर नज़दीकी लड़ाई वाली सीटों के पक्ष में फ़ैसला दिलाने का दबाव बनवा रहे है
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 10, 2020
અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, “નીતિશ કુમાર, સુશીલ મોદી અન્ય મુખ્યમંત્રી રહેણાંક કચેરીમાં બેઠેલા તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને કડક સૂચના આપી રહ્યા છે કે, 105-110 બેઠકો પર મહાગઠબંધન કેવી રીતે રોકી શકાય. કોઈ પણ સંજોગોમાં અમે લોકોનાં અભિપ્રાયને લૂંટવા દઈશું નહી.
नीतीश कुमार, सुशील मोदी इत्यादि मुख्यमंत्री आवासीय कार्यालय में बैठ सभी जिलाधिकारियों पर दबाव बना सख़्त निर्देश जारी करवा रहे है कि महागठबंधन को कैसे भी 105-110 सीटों पर रोको।
किसी भी परिस्थिति में हम जनमत की लूट नहीं होने देंगे।
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 10, 2020
