ખેડૂત આંદોલનને લઈને શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે. શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ખેડૂતોના ભારત બંધ અંગે કોઈ રાજકારણ કરવામાં આવી રહ્યું નથી. કોઈપણ રાજકીય ધ્વજ વિના ખેડુતો પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, આપણી જવાબદારી છે કે આપણે પણ તેમની સાથે ઉભા રહીએ.
સંજય રાઉતે આ અંગે નિશાન સાંધતા કહ્યું કે, જો સરકાર દિલ છે તો વડા પ્રધાન મોદી અને અમિત શાહ જાતે ત્યાં જઇને ખેડૂતો સાથે વાત કરે છે.
If the Government has a heart, be it the Home Minister or the Prime Minister, they themselves will go & talk to them (farmers): Sanjay Raut, Shiv Sena#BharatBandh https://t.co/Qm5RJOXBK6
— ANI (@ANI) December 8, 2020
નોંધપાત્ર વાત એ છે કે, આજે ખેડૂત સંગઠનોએ ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ‘ભારત બંધ’ ની હાકલ કરી છે. ખેડુતો આજે દેશભરમાં જામ કરશે. ખેડુતો સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રસ્તાઓ જામ કરશે.
પ્રદર્શનના ભાગરૂપે, ઉત્તર રાજ્યો, ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ખેડૂતો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ખેડુતો 12 દિવસથી દિલ્હીની સરહદો પર ઉભા છે. ખેડુતોના આ આંદોલનમાં રાજકારણ પણ ઉગ્ર બની રહ્યું છે. દેશના તમામ વિપક્ષી પાર્ટીઓએ ‘ભારત બંધ’ને સમર્થન આપ્યું છે.
વડોદરામાં ટાયરો સળગાવી કોંગી કાર્યકર્તાઓએ હાઇવે પર કર્યો ચક્કકાજામ
ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન
અમરોલીમાં જિમ ટ્રેનરે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં, થઇ ધરપકડ
લગ્ન પ્રસંગમાં છવાયો માતમ : દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા ઘરેથી ઉઠી પિતાની અર્થી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
