પ્રજાસત્તાક પર્વ પર દર વખતે ઝાકમઝોળ ભરેલી પરેડ યોજવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીની વચ્ચે સ્વાતંત્ર્ય પર્વ પર સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પ્રજાસત્તાક પર્વમાં પણ પરેડમાં આ વખતે ઘણા ફેરફાર કરવામાં આવ્યો છે. કોવિડ-19ને કારણે પરેડની લંબાઈ ઓછી કરવામાં આવી છે. આ વખતે પરેડ વિજય ચોકથી શરૂ થઈ નેશનલ સ્ટેડિયમ સુધી જશે જ્યારે દર વખતે પરેડ રાજપથથી શરૂ થઈને લાલ કિલા સુધી જતી હતી. રિપબ્લિક ડે પરેડ દ્વારા દુનિયાને ભારતની શક્તિ, સંસ્કૃતિ અને અનેકતામાં એકતાની ઝલક દેખાડવામાં આવે છે.

action / ગ્રાહકો સામે કરોડોની છેતરપિંડી કરનાર રૂફ્ટોપ કંપની સામે કડક …
દિલ્હીમા યોજાતી પરેડમા દર વર્ષે હજારો લોકો જોડાતા હોય છે તેમાં ટેલિવિઝન પર પ્રસારણ કરતાં તેનેલાખો લોકો નેહા કરતા હોય છે. દેશવાસીઓની શાન ગણાતી પરેડ આ વખતે 3.3 કિમી જ લાંબી હશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોવિડને કારણે આ વખતે પરેડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દર વર્ષની પરેડમાં જેટલા લોકો ભાગ લેશે તેની બદલે સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળશે.

Rajkot / રાજકોટ એઈમ્સનું ગુરુવારે વડાપ્રધાન મોદી કરશે ઇ-ખાત મુહર્ત, P…
પરેડ વિજય ચોકથી લાલ કિસા સુધી જતી હતી તો તેની લંબાઈ 8.2 કિલોમીટર થતી હતી પરંતુ આ વખતે વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી આ 3.3 કિલોમીટર જ લાંબી જશે. પરેડ જોવાની તક પણ ઓછા લોકોને મળશે. જ્યાં દર વર્ષે રિપબ્લિક ડે પરેડને જોવા માટે 1 લાખ 15 હજાર લોકો હાજર રહેતા હતા તો આ વખતે માત્ર 25 હજાર લોકો હાજર રહેશે.દર વખતે 32000 ટિકિટ વેચવામાં આવતી હતી, તો આ વખતે ટિકિટ ખરીદીને 7500 લોક સામેલ થઈ શકશે.
Covid-19 / જાણી લો કોરોનાનો નવો સ્ટ્રેન દેશમાં ક્યાં પહોંચ્યો ? અને શું…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
