ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળાનાં આ મુશ્કેલ સમયમાં બધાને આગળ વધવાની અપીલ કરીને નવા વર્ષ 2021 ની શુભેચ્છા પાઠવી છે.
ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1 જાન્યુઆરી 2021 નાં રોજ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યું છે કે, “નવા વર્ષનાં હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. નવું વર્ષ એક નવી શરૂઆત કરવાની તક છે અને વ્યક્તિગત અને સામૂહિક વિકાસ માટેનાં આપણા સંકલ્પને તાકત આપે છે. કોવિડ-19 થી ઉદ્ભવતા પડકારોનો આ સમય, આપણા બધા માટે એક સાથે આગળ વધવાનો સમય છે.”
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું છે કે, ચાલો આપણે સૌ સાથે મળીને પ્રેમ અને કરુણાની ભાવનાથી સમાવિષ્ટ સમાજની રચના માટે કાર્ય કરીએ જ્યાં શાંતિ અને સુમેળને પ્રોત્સાહન મળે છે. હું ઈચ્છું છું કે તમે બધા સ્વસ્થ અને સલામત રહો અને નવી ઉર્જાથી આપણા દેશની પ્રગતિનાં સામાન્ય લક્ષ્યને પ્રાપ્ત કરવા આગળ વધો.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, “2021 ની તમને હાર્દિક શુભેચ્છાઓ! આ વર્ષ સારું સ્વાસ્થ્ય, આનંદ અને સમૃદ્ધિ લાવી શકે છે. આશા અને સુખાકારીની લાગણી પ્રબળ થઈ શકે છે.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…