‘કેદારનાથ’ ફિલ્મના લેખકા કનિકા ઢિલ્લોએ તેના બોયફ્રેન્ડ હિમાંશુ શર્મા સંગ લગ્ન કરી લીધા છે. કનિકાએ સોશિયલ મીડિયા પર લગ્નની રસ્મો પૂરી કરતી ફોટા શેર કર્યા છે. આપને જણાવી દઈએ કે કનિકા ઢિલ્લોએ કેટલાક ખાસ લોકોની હાજરીમાં ડિસેમ્બર મહિનામાં હિમાંશુ શર્મા સાથે લગ્ન કર્યા છે.
ફોટો શેર કરતા કનિકાએ લખ્યું, “હિમાંશુ શર્મા સાથે વર્ષ 2021 ની નવી શરૂઆત.” યાદ અપાવી દઈએ કે, બંને વર્ષ 2019 થી રિલેશનશિપમાં હતા. જૂન મહિનામાં, બંનેએ તેમના રિલેશનશિપને લઈને ખુલ્લાસો કર્યો હતો.
આપને જણાવી દઈએ કે હિમાંશુ શર્મા થોડા સમય પહેલા સ્વરા ભાસ્કર સાથેના રિલેશનશિપમાં રહેવા માટે ચર્ચામાં આવ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં કનિકા અને હિમાંશુએ કહ્યું કે, ‘થોડા સમય રિલેશનશિપમાં રહી ગયા બાદ અમને એ જણાવતાં આનંદ થાય છે કે અમે સગાઈ કરી લીધી છે અને જલ્દી જ લગ્ન કરીશું. બંને સાથે મળીને સુખી અને વૈભવી જીવન જીવવા ઈચ્છે છે. “
હિમાંશુ શર્મા અભિનેત્રી સ્વરા ભાસ્કર સાથેના સંબંધમાં હતા. બંને પાંચ વર્ષ સાથે હતા. બ્રેકઅપ વિશે વાત કરતાં સ્વરાએ કહ્યું હતું કે તે માત્ર એક જ વ્યક્તિની પસંદગીની વાત નથી, પરંતુ બીજાની પસંદગીની પણ છે. આને આગળ વધવું કહે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…