Budget 2021/ બજેટ 2021 : ખેડૂતોને મળશે ભેટ, વધી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા

ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલન ની વચ્ચે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે બજેટ અંતર્ગત ખાસ ભેટ રજૂ કરી શકે છે. ખેડૂતોને શાહુકારોના ચુંગાલમાં ફસાવાથી બચાવવા માટે

Top Stories Union budget 2025
1

ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે બજેટ અંતર્ગત ખાસ ભેટ રજૂ કરી શકે છે. ખેડૂતોને શાહુકારોના ચુંગાલમાં ફસાવાથી બચાવવા માટે ખેતીના કામ માટે સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવવાની સાથે કિસાન ક્રેડિટ કાર્ડ આપી શકે છે. હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ૩ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી શકે છે.એવી આશા છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને ક્રેડિટ કાર્ડ નિર્ધારિત લોનની મર્યાદા વધારી શકે છે.

Kisan Credit Card Yojana [Online Apply] किसान क्रेडिट कार्ड योजना आवेदन List PDF

Vaccine / અહીં કલેકટર રસી લેવાનો ઇન્કાર કરાતાં અન્ય કર્મીઓમાં શંકા કુશંકા થઈ ઉભી

1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ

નોંધનીય છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીએ સંસદમા સામાન્ય બજેટ 2021) રજૂ કરશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બજેટમાં આ વખતે ખેડૂતો માટે કેટલીક મોટી જાહેરાતો કરી શકાય છે. ત્રણેય કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનના વિરોધના મુદ્દા આ દિવસોમાં ચર્ચામાં છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખૂબ ઓછા વ્યાજ પર ખેડૂતોને લોન મળી રહે છે.

Kisan Credit Card: Get up to Rs 5 lakh KCC loan at 4 per cent interest only; PM Kisan account holders can apply online | Zee Business

Vaccine / રાજ્યમાં બીજા તબ્બકામાં કોણે કયા લીધી રસી આવો જાણીએ…

કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂત માટે કેમ ખાસ છે

ખેડુતોને તેમના ખેતીકામ માટે રોકડની જરૂર પડે છે અને જ્યારે રોકડની અછત હોય છે ત્યારે તેઓ પૈસા ઉપાડનારા અને પૈસા આપનારાઓની ચુંગલમાં ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે ખેડુતોને પૈસા આપનારાઓથી બચાવવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ હાલમાં ખેડૂતને બજાર કરતા ઓછા દરે લોન આપવામાં આવે છે. ખેડૂતને લોન પર ફક્ત 7% ના દરે વ્યાજ લાગુ પડે છે.પરંતુ કિસાન ક્રેડિટ કાર્ડનો એક ફાયદો એ પણ છે કે જો ખેડૂત દ્વારા લેવામાં આવેલી લોન એક વર્ષમાં જમા કરાવશે, તો ફક્ત 4% વ્યાજ ચૂકવવાનું રહેશે. હાલમાં ખેડૂત ક્રેડિટ કાર્ડ ઉપર માત્ર 3 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે. પરંતુ હવે સંભાવના છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં ખેડૂતો માટેની મર્યાદા વધારશે.

Kisan Credit Card: Govt Issues 2.5 Core New KCC for 25 Lakh Farmers; Know How to Make it for Free? | Republic

Cricket / BCCIના વડા સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ત્રણ દિવસ અગાઉ કરવામાં આવી હતી…

કિસાન ક્રેડિટ કાર્ડની ખાસિયત

– બચત બેંકના દરે કિસાન ક્રેડિટ કાર્ડ ખાતામાં લોન પર વ્યાજ ચૂકવવામાં આવે છે.

– કાર્ડ ધારકોને મફત એટીએમ આપવામાં આવે છે.

– એસબીઆઇ ડેબિટ / એટીએમ કાર્ડ આપે છે જેને કિસાન કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

– 3 લાખ રૂપિયા સુધીની લોન માટે, વ્યાજ દર વાર્ષિક 2 ટકા સુધીની છૂટ પણ આપવામાં આવે છે.

– ખેડૂતને સમય પહેલાં લોન ચુકવીને લાભ થાય છે. વાર્ષિક ૩ ટકાના દરે વધારાના વ્યાજની છૂટ આપવામાં આવે છે.

કલોન પર પાક વીમાના કવરેજ પણ ઉપલબ્ધ છે.

લોનની રકમ કૃષિ ખર્ચ, લણણી પછીના ખર્ચ અને જમીનના ખર્ચના આધારે નક્કી કરવામાં આવે છે.

Kisan credit card Yojana kcc, Kisan credit card Yojana, PM Kisan KCC

ક્રેડિટ કાર્ડ યોજના 2021 ના ​​ફાયદા

– દેશના તમામ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લઈ શકશે.

– તમામ ખેડુતોને આ યોજનાનો લાભ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી મળશે.

– કેન્દ્ર સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 1.60 લાખની લોન આપવામાં આવે છે.

– કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ દેશના 14 કરોડ ખેડુતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…