મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ..
હવે પુડુચેરીમાં પણ કોંગ્રેસ સરકાર સંકટમાં
નવ નિયુક્ત ઉપરાજ્યપાલે કર્યો આદેશ
22મી ફેબ્રુઆરીએ બહુમતી સાબિત કરવા કહ્યું
વિધાનસભામાં વિશ્વાસ મત જીતવો પડશે
કોંગ્રેસના ચાર ધારાસભ્યો છોડી ચૂક્યાં છે પક્ષ
કોંગ્રેસ માટે બહુમતી સાબિત કરવી અઘરી
પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકારની રાજકીય કટોકટી વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર ડો.તિમિલિસાઈ સુંદરરાજને 22 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. હવે મુખ્યમંત્રી વી.નારાયણસામીની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે ગૃહમાં સાબિત કરવું પડશે કે તેમની પાસે બહુમતી છે કે નહીં, કારણ કે કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા અને એક ધારાસભ્યને ગેરલાયક ઠરાવીને નારાયણસામી સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.33 સભ્યોવાળી વિધાનસભા 5 સભ્યો ઘટયા બાદ હવે સંખ્યા 28 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો ફ્લોર ટેસ્ટ કરવામાં આવે તો બહુમતી માટે 15 નો આંકડો જરૂરી છે, પરંતુ કોંગ્રેસની સરકારમાં સમર્થક પક્ષોના ધારાસભ્યો સહિત 14 નો આંકડો છે. વિપક્ષમાં પણ 14 સંખ્યાબળ છે.

Covid-19 / શું હવે થોડા દિવસોનો મહેમાન છે કોરોના? જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
રાજીનામા બાદ કોંગ્રેસના 2 ધારાસભ્યો ભાજપમાં જોડાયા
કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોમાં એ. જોન કુમાર, એ.નમસિવામ, મલ્લડી કૃષ્ણ રાવ અને ઇ. થેપેયન્થન છે. આ સિવાય, કોંગ્રેસના ધારાસભ્ય એન ધનવેલુને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કોંગ્રેસને ફટકો આપીને નમસિવામ અને થેપાયન્થન ભાજપમાં જોડાયા છે, બાકીના નેતાઓ પણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે.
CMના નિકટતમે આપ્યું રાજીનામું
એ. જ્હોન કુમાર, જેમણે 16 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું, તેઓ મુખ્યમંત્રી વી નારાયણસામીના નજીકના માનવામાં આવ્યાં હતાં. તેમણે નેલિથોપ બેઠક પરથી 2016 ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને નારાયણસામીની બેઠક ખાલી કરી દીધી હતી. બાદમાં કુમારે 2019 માં કામરાજ નગર પેટા-ચૂંટણીમાં જીત મેળવી હતી. તાજેતરમાં જ તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓને મળ્યા બાદ દિલ્હી પરત ફર્યા હતા.
CM VIJAYA RUPANI / કોરોનાનાં કારણે હું આપની વચ્ચે નથી પણ તમે ભાજપ સાથે રહેશો : મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોસ્પિટલમાંથી સંબોધન
વિધાનસભામાં પક્ષોની સ્થિતિ
2016 માં પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. તેમાં 3 ડીએમકે ધારાસભ્યો અને અપક્ષનો ટેકો પણ હતો. આવી સ્થિતિમાં તેની તાકાત 19 થઈ ગઈ હતી. 5 ધારાસભ્યોની જવા બાદ હવે તે 14 પર આવી ગયા છે. બીજી તરફ, વિપક્ષ પાસે AINRCના 7 સભ્યો, AIDMKના 4 સભ્યો છે. આ સિવાય ભાજપના નામાંકિત સભ્યો છે. હવે વિપક્ષની તાકાત પણ 14 એટલે કે કોંગ્રેસ જેટલી છે.
![]()
ભાજપનો દાવો – કોંગ્રેસની સરકાર પડવાનું નિશ્ચિત
પુડ્ડુચેરીના બીજેપી અધ્યક્ષ વી સમિનાથને કહ્યું કે નારાયણસામી સરકારે બહુમતી ગુમાવી દીધી છે અને તેમનો બહુમતીનો દાવો કરવો ખોટું છે. તેમની સરકાર 22 ફેબ્રુઆરીએ આવશે. તમામ 14 વિપક્ષી નેતાઓ એક થયા છે.
CM / સંવેદનશીલ મુખ્યમંત્રી પ્રત્યે રાજકોટવાસીઓની લાગણી છલકાઈ, પોસ્ટર દ્વારા પરોક્ષ હાજરી બતાવવાનો પ્રયાસ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
