ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચે ટ્વીટર યુદ્ધ શરૂ થયું છે. સીઆર પાટીલે તેમની સુરત મુલાકાત પર તીખા વ્યંગ કર્યા હતા, તો કેજરીવાલે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આમ આદમી પાર્ટીની અવગણના ન કરો કે જ્યારે ગુજરાતમાં દરેક લોકો તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે.ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. દિલ્હીના મુખ્યપ્રધાનને આ વાતનો નશો હજી પણ ઉતરી નથી રહ્યો.
Corruption / ACBનો સપાટો : SMCના ડેપ્યુટી TDO સામે આવક કરતાં વધુ સંપત્તિની તપાસનો ધમધમાટ
Covid-19 / કોરોનાની ગતિમાં જનતા જ લાવી શકશે ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
પ્રદેશ પ્રમુખ પાટીલે તેમની સુરત મુલાકાત અંગે ટ્વિટર દ્વારા કટાક્ષ કર્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે AAP ની ત્રણ શહેરોમાં સો ટકા અને બે શહેરોમાં 90% ડિપોઝીટ ડુલ થઇ છે. શું તેઓ થવાનો જશ્ન મનાવવા માટે રોડ શો કર્યો છે ?
કેજરીવાલે એવું કહ્યું કે સુરતમાં 27 જીત્યા પરંતુ AAPની ડિપોઝિટો થઈ છે તે અંગે વાત કરી નથી.જ્યારે બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સી.આર.પાટીલે પણ પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરેક લોકો AAPની વાત કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીની શક્તિનો ઉપહાસ કરી અમૂલ્ય ન કરો.
Agitation / રાજકોટ રેલવે ડિવિઝન કચેરીમાં હંગામો, પડતર પ્રશ્નોને લઇને આંદોલન બન્યું ઉગ્ર
કેજરીવાલે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે, ગુજરાતમાં મોંઘી વીજળી, ખેડૂતોની આત્મહત્યાની સાથે સાથે સરકારી હોસ્પિટલો અને સ્કૂલોની કફોડી હાલત અંગે સવાલ કર્યા હતા.
હાલમાં જ ગુજરાતના સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી છે. સુરત મનપાની કુલ 120 બેઠકોમાંથી ભાજપે 93 અને આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી છે. આ સાથે જ સુરતમાં હવે આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ સારું પ્રદર્શન કરી જીત મેળવી છે. જોકે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હજી પણ આ જીતનો નશો ઉતર્યો નથી. કેજરીવાલે ટ્વિટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…