પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમીપુરા પાસે બાઈક અને ટ્રેકટર વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે રાધનપુર પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા
સરહદી વિસ્તાર એવા રાધનપુરમાં અવાર નવાર અકસ્માત સર્જાવાનની ઘટના બનતી હોય છે. પાટણ જીલ્લાના રાધનપુર ખાતે વહેલી સવારે અમીપુરાના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં ટ્રેક્ટર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેકટર-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યા હતા. રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોચીને મૃતકની લાશને પી.એમ. અર્થે મોકલવાની હાથ ધરી હતી. રાધનપુર પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.