17 માર્ચે પીએમ મોદીએ બોલાવી બેઠક
17 માર્ચે 12.30 કલાકે બોલાવી બેઠક
કોરોના સંક્રમણ અંગે થઇ શકે છે મોટો નિર્ણય
પીએમ મોદીએ ફરીથી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ફરી એકવાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 17 માર્ચે 12.30 કલાકે યોજાનારી આ બેઠકમાં પીએમ મોદી કોરોનાના વધતા જતા કેસ અને રસીકરણ પરના ભાર વિશે ચર્ચા કરશે. આ સમય દરમિયાન, પીએમ મોદી કોરોનાથી લડાઇ અને રસીકરણ અભિયાન અંગે મુખ્યમંત્રીઓનો પ્રતિસાદ પણ લેશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક લેશે.