ફિલ્મી સસ્પેન્સ-થ્રિલર સ્ટોરીની જેમ મનસુખ હત્યાકેસની તપાસ કરી રહેલી NIA સમક્ષ રોજ અવનવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે.એન્ટિલિયા ઘટના અને મનસુખ હિરેન હત્યા કેસમાં ધરપકડ કરાયેલ સચિન વાઝેની NIA કસ્ટડી 7 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. હવે 7 એપ્રિલે વાઝે, વિનાયક શિંદે અને નરેશ ગોરને NIAએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન NIAએ કોર્ટને જણાવ્યું હતું કે સચિન વાઝેની ધરપકડના પાંચ દિવસ પછી, તેમના અને તેના સહયોગીના સંયુક્ત બેંક એકાઉન્ટમાંથી 26.50 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ રકમ 18 માર્ચે કાઢવામાં આવી હતી. તેવી જ રીતે વાઝેના સંયુક્ત બેંક લોકરમાંથી પણ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો કાઢી લેવામાં આવ્યા હતા.
સાવધાન! / હવે જો માસ્ક વિના બહાર નીકળ્યા છો આવી બન્યું સમજજો, પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ
જોકે એનઆઈએએ વાઝેના સાથીનું નામ લીધું નથી. તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે તપાસ દરમિયાન તેને લેપટોપ, ડીવીઆર (ડિજિટલ વીડિયો રેકોર્ડર) અને ક્ષતિગ્રસ્ત હાલતમાં એક સીપીયુ સહિત અનેક મહત્વપૂર્ણ વસ્તુઓ મળી આવી હતી. તેમની તપાસ કરવાની જરૂર છે. એનઆઈએ પણ ઉદ્યોગપતિ મનસુખ હિરેનની મોત મામલે તપાસ કરી રહી છે. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે વાઝને 4 માર્ચે ગુનાના સ્થળે નજીકથી સ્પોટ કરવામાં આવ્યો હતો. હિરેનની લાશ 5 માર્ચે થાણેથી મળી હતી. એનઆઈએએ કોર્ટને જણાવ્યું હતું કે 2 એપ્રિલે મર્સિડીઝ કાર કબજે કરવામાં આવી હતી. એજન્સીએ દક્ષિણ મુંબઈની એક ક્લબમાંથી એક ડાયરી પણ મળી છે જેમાં વાઝેને ચૂકવવામાં આવેલી મોટી રકમનો ઉલ્લેખ છે.
અધવચ્ચે કેમ? / Assam ની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક રોકી દીધુ ભાષણ
એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે તેને વાઝેના ઘરે કોઈ અજાણ્યા વ્યક્તિનો પાસપોર્ટ મળી આવ્યો છે. વ્યક્તિને ઓળખવા માટે વાઝેની કસ્ટડીની જરૂર છે. એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે જણાવ્યું હતું કે વાજેનું એક સંયુક્ત બેંક ખાતું છે અને તેના સાથીદાર સાથે સંયુક્ત લોકર છે. સિંહે વાજેને બીજા છ દિવસ અટકાયત કરવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે એનઆઈએએ આ મામલે હજી ઘણી તપાસ કરવાનીછે. હવે સચિન વાઝેને પણ 7 એપ્રિલે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કોરોનાનો અજગરી ભરડો / છેલ્લાં 24 કલાકમાં 13 લોકોના મોત સાથે નોધાયાં 2815 નવા કેસ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
