- મહારાષ્ટ્રમાં લોકડાઉન વધારાયું
- મહારાષ્ટ્રમાં કોરોના કેસ અટકાવવા લેવાયો નિર્ણય
સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રની જનતાને સંબોધન કરતાં કહ્યું કે કેટલાક જિલ્લાઓમાં હજી પણ સંક્રમણ દર ઉંચો છે. અને કોરોનાનાનાવા કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે 15 દિવસ લોક ડાઉન લંબાવવામાં અવ્યુ છે.
ઠાકરેએ લોકોને ચેતવણી આપતા કહ્યું કે, આપણને ખબર નથી કે કોરોનાની ત્રીજી લહેર ક્યારે અને કઈ તારીખે આવશે. તેથી હમણાં આપણે કોઈને પણ બેદરકારી પરવડે તેમ નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રએ કોરોનાના કહેર નો સામનો કરવો પડ્યો છે. પરંતુ 92 ટકા રીકવરી સુધી પહોંચવું એ એક સારો સંકેત છે.
તેમણે કોરોના પ્રતિબંધોને સારી રીતે પાલન કરવામાં અને કોરોનાના કેસોને અંકુશમાં લેવાનો પ્રયાસ કરવા બદલ જનતાનો આભાર માન્યો. ઠાકરેએ કહ્યું, “જો રાજ્યમાં કોરોનાની ત્રીજી વધુ ખતરનાક તરંગ આવશે તો તે તબીબી ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી શકે છે. જો ત્રીજી તરંગ આવે પછી ઓક્સિજનના સપ્લાયને લગતા સંકટ આવી શકે છે, કારણ કે તે સમયે રાજ્યને દરરોજ 1700 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે. “
બાળકોને ચેપ સામે સલાહ આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “કોવિડ -19 ની ત્રીજી તરંગ બાળકોને નિશાન બનાવી શકે છે, પરંતુ લોકોએ ચિંતા ન કરવી જોઈએ, કારણ કે નિષ્ણાતો કહે છે કે તેમની પ્રતિરક્ષા વધુ સારી છે.”