કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ સીએમ બદલવાની અટકળોને કીને કહ્યું કે જે દિવસે ટોચનું નેતૃત્વ મને પદ છોડવાની માંગ કરશે, તે જ દિવસે હું રાજીનામું આપીશ. એટલું જ નહીં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે મને નથી લાગતું કે રાજ્યમાં ભાજપનું વૈકલ્પિક નેતૃત્વ નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટકમાં અટકળો ચાલી રહી છે કે શાસક ભાજપમાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને બદલવા માટે કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. જો કે, મુખ્યમંત્રીની નજીકના કેટલાક ધારાસભ્યોએ કહ્યું કે-78 વર્ષીય દિગ્ગજ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે અને બે વર્ષ પછીની ચૂંટણીઓ દરમિયાન પાર્ટીનું નેતૃત્વ પણ કરશે.
જોકે, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી સી.એન. નારાયણે કહ્યું કે તેમના રાજીનામું આપવાનો કોઈ સવાલ નથી. આવી કોઈ ચર્ચા થઈ રહી નથી. તેમણે હમણાં જ એક નિવેદન આપ્યું હતું કે પાર્ટી જે પણ નિર્ણય લેશે, તે તેનું પાલન કરશે, કારણ કે તે શિસ્તબદ્ધ નેતા છે.
There is no question of him (CM Yediyurappa) stepping down. No such discussions are happening. He only made a statement that he is willing to abide by whatever decision the party takes as he is a disciplined soldier of party: Karnataka Deputy CM Dr CN Ashwathnarayan pic.twitter.com/A76DDisFEx
— ANI (@ANI) June 6, 2021
આ પણ વાંચો :ભારતમાં કોરોનાનો વધુ એક વેરિએન્ટ આવ્યો સામે, જાણો કેટલો છે ખતરનાક
તાજેતરમાં જ મહેસૂલ પ્રધાન આર.અશોકએ કહ્યું હતું કે મને ઘણા ધારાસભ્યો દિલ્હીમાં પડાવ કર્યાના અહેવાલો મળી રહ્યા છે અને આજે પણ મને ઘણી જગ્યાએ મીટીંગો યોજવામાં આવી હોવાના ખબર પડી. મેં મીડિયામાં જોયું કે ઘણા મંત્રીઓ પણ આમાં સામેલ છે અને તે વાત સાચી છે કે આવી ચર્ચાઓ થઈ રહી છે.
જો કે, નાયબ મુખ્ય પ્રધાન સી.એન. નારાયણ, ગૃહ પ્રધાન બસવરાવ એસ બોમ્માઇ, આવાસ મંત્રી વી. સોમન્ના, ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટરરે કહ્યું કે અમે આવા અહેવાલોથી અજાણ છીએ. એટલું જ નહીં તેમણે નેતૃત્વ બદલવાની ના પાડી. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે યેદિયુરપ્પા તેમના પ્રધાન છે અને નેતા પણ છે.
આ પણ વાંચો :દિલીપ કુમારને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલ કરાયા દાખલ
આ તરફ, સોમાન્નાએ કહ્યું કે મુખ્યમંત્રી પદ ખાલી નથી અને યેદિયુરપ્પા નિશ્ચિતપણે તેમની બેઠક સંભાળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પર્યટન પ્રધાન સી.પી. યોગેશ્વર અને ભાજપ હુબલી-ધારવાડના ધારાસભ્ય અરવિંદ બેલાડ દિલ્હીમાં છે.
આ પણ વાંચો :ગુજરાત કોંગ્રેસનાં નેતાઓની યોજાઈ ખાનગી બેઠક, અનેક તર્કવિતર્ક સર્જાયા
