ઘણી વખત ઘણા લોકો રહેલું ભારતીય ચલણી નાણું એક યા બીજી રીતે ફાટી જાય છેકે પછી ભૂલમાં કોઈની પાસેથી ફાટેલી નોટો આવી જતી હોય છે. જે બજારમાં કયાંક પણ ચાલતી નથી. આવું લગભગ દરેકના જીવનમાં બન્યું હોય છે. આવી સ્થિતિમાં, લોકો કાં તો તેને દુકાનદારને બદલવાની વિનંતી કરે છે અથવા કમિશનના આધારે તેને બદલવામાં આવે છે. જો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ સંદર્ભે એક નિયમ બનાવ્યો છે. આરબીઆઈ કદ પ્રમાણે ફાટેલી નોટોની નોધ લે છે. અને તેને બદલી આપે છે. આ માટે આરબીઆઈએ કેટલાક ધોરણો નક્કી કર્યા છે.
વિવિધ નોટો માટે વિવિધ નિયમો
દેશમાં 14 પ્રકારની નોટો ચાલી રહી છે. તેમાંથી, 12 પ્રકારની નોટોની આપલે કરવામાં આવી હતી, પરંતુ 200 અને 2000 ની નોટો બદલી આપવાનો કોઈ નિયમ નથી. હવે રિઝર્વ બેંકે એક નવો નિયમ જારી કર્યો છે. એક ગેઝેટ જારી કરીને, ભારતીય રિઝર્વ બેંકે નોટોની આપલે માટેના નિયમો નક્કી કર્યા છે. દેશમાં ચાલી રહેલી કુલ 14 પ્રકારની વિકૃત ફાટેલી નોટો અમુક શરતો સાથે બદલી શકાય છે. 1 થી 20 રૂપિયા સુધીની નોટોની આપલે માટે આરબીઆઈ કોઈ પૈસા લેતી નથી. જો કે, આ માટે વિકૃત કે ફાટેલી નોટોની લંબાઈ નિશ્ચિત હોવી જોઈએ. એટલે કે, નુકસાન થયા પછી, નોટોની લંબાઈ અનુસાર નોટોને બદલવામાં આવે છે.
આ પરિસ્થિતિમાં નોટો બદલી આપવામાં આવશે નહી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ખરાબ રીતે બળેલી, ફાટેલી કે ટુકડા થયેલી નોટોની આપલે કરી શકાતી નથી. આવી નોટો ફક્ત આરબીઆઈની ઇશ્યૂ ઓફિસ પર જ લઈ શકાય છે. ઉપરાંત, નોટો કે જેના પર સૂત્રોચ્ચાર અથવા રાજકીય સંદેશા લખેલા છે તે ચલણ તરીકે ઉપયોગમાં લઈ શકાય નહી. જો બેંક અધિકારીને લાગે છે કે તમે ઇરાદાપૂર્વક નોટ ફાડી નાખી છે અથવા કાપી છે, તો તે તમારી ચલણની આપલે કરવાનો ઇનકાર કરી શકે છે. આ શરતો સાથે આરબીઆઈની નોટ બદલી આપે છે.
1 થી 20 રૂપિયા સુધીની નોટોના બદલામાં કોઈ પૈસા કાપવામાં આવતા નથી