સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોગીજી મહારાજના અત્યંત નિકટતમ તેમજ દેશ-વિદેશમાં સ્વામિનારાયણ ધર્મના કાર્યને વેગવંતુ બનાવવામાં સિંહફાળો છે, તેવા હરિપ્રસાદ સ્વામીજી મહારાજને વડોદરા ખાતે બિરાજમાન હતા ત્યારે ઈશ્વરનું તેડું આવતા તાજેતરમાં દિવ્ય ધામ પહોંચ્યા હતા. તેમના નિધન બાદ મુખ્યમંત્રી રૂપાણી સહિત દેશ-વિદેશના અનુયાયીઓએ દુઃખ તેમજ શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજકોટના હરિભક્તોને આજે હરીપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભ દર્શનના દર્શન તથા પૂજનનો લહાવો મળી શકશે.યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિનો કુંભ તા.11 ઓગસ્ટે રાજકોટ પહોંચશે.
આ અસ્થિકુંભના દર્શન-પૂજન માટેનો કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટી પરિસર, યોગીધામ, કાલાવડ રોડ ખાતે સાંજે 5 થી 8 સુધી રખાયો છે.કાર્યક્રમની સાથે કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાશે. જેમાં સંતો-ભક્તો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સ્વામીજીના યુગકાર્ય પ્રત્યે કૃતજ્ઞતાનો અર્ધ્ય અર્પણ કરાશે.
ગ્રાહકો માટે રાહત! / હવે ATM માં પૈસા નહી હોય તો બેંકે ભરવી પડશે Penalty
આ અંગે ભગવાન સ્વામિનારાયણના પરમ અનુયાયી ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું છે કે, સ્વામીજીના યુગકાર્યની કૃપાવર્ષા જે પ્રદેશો પર થઈ છે ત્યાંના ભાવિકો, હરિભક્તો, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને નાગરિકો જે હરિધામ પહોંચી શક્યા નહોતા તેમની લાગણીને ધ્યાનમાં રાખીને અસ્થિ વિસર્જન કરતાં પહેલાં વિવિધ શહેરો-ગામોમાં અસ્થિકુંભ દર્શન-પૂજનનો કાર્યક્રમ રખાયો છે. રાજકોટ ઉપરાંત મોરબી, ગોંડલ, જસદણ, ભાવનગર, જામનગર, જામકંડોરણા, જેતપુર, સુરેન્દ્રનગર વગેરે શહેરોના ભાવિકો અસ્થિકુંભના દર્શન – પૂજન માટે રાજકોટ પહોંચશે.
Political / લોકસભામાં OBC આરક્ષણ સંશોધન બિલ પાસ, આજે રાજ્યસભામાં રજૂ કરાશે