New Delhi: ભાજપ 2024ની ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે. PM મોદી આજે કેરળના પ્રવાસે છે. તેઓ કેરળમાં અલાથુર અને અટિંગલમાં બે જાહેરસભાઓને સંબોધી ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી જ ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન મોદીની કેરળની આ છઠ્ઠી મુલાકાત છે.
પીએમ મોદી કેરળમાં જાહેર સભાઓ કર્યા પછી તામિલનાડુ જવા રવાના થશે અને ત્યાં તિરુનેલવેલીમાં સાંજે એક રેલીને સંબોધશે. તિરુનેલવેલી સંસદીય મતવિસ્તાર માટે ભાજપના ઉમેદવાર નૈનાર નાગેંથિરન અને અન્ય નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)ના ઉમેદવારો માટે પ્રચાર કરશે.
માહિતી મુજબ કેરળમાં 26 એપ્રિલે ચૂંટણી યોજાશે જેના માટે ભાજપ માટે સમર્થન મેળવવા આજે બે જિલ્લામાંથી દરેકમાં બે જાહેર સભાઓમાં હાજરી આપશે. તેઓ છેલ્લે 19 માર્ચે કેરળ ગયા હતા જ્યારે તેમણે પલક્કડ જિલ્લામાં એક રોડ શો કર્યો હતો. અગાઉ જાન્યુઆરીમાં બે વખત અને ફેબ્રુઆરીમાં એક વખત કેરળ મુલાકાતે આવ્યા હતા.
આ પણ વાંચો:ભાજપ આજે PM મોદીની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે
આ પણ વાંચો:ડિફેન્સ અટાચી, કેવી રીતે ભારત વિશ્વમાં ડંકો વગાડશે?
આ પણ વાંચો:અમિત શાહની રેલીમાં ભાજપ તાકાત બતાવશે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પ્રવાસ નક્કી થવાનો બાકી