Not Set/ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવાશે 14 ઓગષ્ટનો દિવસ, પીએમ મોદીએ પણ આપ્યો ખાસ સંદેશ

14 ઓગસ્ટને ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે દેશના ભાગલાની….

Top Stories India

આવતીકાલે ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠ છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે 14 ઓગસ્ટને ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે દેશના ભાગલાની પીડાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને કારણે, આપણી લાખો બહેનો અને ભાઈઓ વિસ્થાપિત થયા અને જીવ પણ ગુમાવ્યા. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 મી ઓગસ્ટને ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :ટ્વિટરે રાહુલ ગાંધીનું હેન્ડલ કર્યું અનલોક, બીજા અન્ય નેતાઓના હેન્ડલ પણ કર્યા રિસ્ટોર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા ટ્વિટમાં કહ્યું કે #PartitionHorrorsRemembranceDay નો આ દિવસ આપણને ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરને દૂર કરવા માટે પ્રેરણા આપશે એટલું જ નહીં, પરંતુ તે એકતા, સામાજિક સમરસતા અને માનવીય લાગણીઓને પણ મજબૂત કરશે.

તમને યાદ અપાવી દઈએ કે દેશના ઈતિહાસમાં 14 ઓગસ્ટની તારીખ આંસુઓથી લખવામાં આવી છે. આ તે દિવસ હતો જ્યારે દેશનું વિભાજન થયું અને એક પૃથક રાષ્ટ્ર જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વિભાજનથી ન માત્ર ભારતીય ઉપ-મહાદ્વીપના બે ટૂકડા થયા પરંતુ બંગાળનું પણ વિભાજન થયું અને બંગાળનો પૂર્વ ભાગ ભારતથી અલગ થઈ પૂર્વી પાકિસ્તાન બની ગયો, જે 1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશ બન્યો હતો.

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોના વાયરસના 38,667 નવા કેસ

કહેવા માટે તો આ દેશનું વિભાજન હતું, પરંતુ હકીકતમાં આ દિલોનું, પરિવારોનું, સંબંધોનું અને ભાવનાઓનું વિભાજન હતું. ભારતના માતાની છાતી પર વિભાજનનો આ ઘાવ સદીઓ સુધી રહેશે અને આવનારી પેઢી આ તારીખના સૌથી દર્દનાક અને રક્તરંજિત દિવસની ટીસ અનુભવતી રહેશે.

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિઅન્ટથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત, કુલ 66 કેસની પુષ્ટિ

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં રહેલા આ લોકો અંગે તાલિબાનનું મોટું નિવેદન, કહ્યું – અમારાથી તેઓને કોઈ ખતરો….