કોરોના વાયરસનાં સંક્રમણનાં નવા કેસોએ ફરી એક વખત ચિંતા વધારી છે. 5 દિવસ સુધી સતત 40 હજારથી વધુ કેસ મળ્યા બાદ મંગળવારે લગભગ 31 હજાર કેસ નોંધાયા હતા. પરંતુ ફરી એક વખત આ આંકડો 40 હજારને પાર કરી ગયો છે. બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા એક દિવસમાં દેશમાં સંક્રમણનાં 41,965 નવા કેસ મળી આવ્યા છે. આ રીતે, છેલ્લા એક સપ્તાહમાં 6 દિવસ એવી રીતે પસાર થયા, જ્યારે કોરોનાનાં નવા કેસોની સંખ્યા 40 હજારને વટાવી ગયા. જેના કારણે, સક્રિય કેસ પણ સતત વધી રહ્યા છે. હાલમાં, સક્રિય કેસોની સંખ્યા 3,78,181 છે.
આ પણ વાંચો – ભાવ ઘટાડો / પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે થયો સામાન્ય ઘટાડો, જાણો આજનો રેટ
આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોના મહામારીનાં કેસોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે એકવાર ફરી દેશમાં કોરોના કેસનો આંક 40 હજારને પાર નોંધાયો છે. આ સિવાય, કુલ કેસ સામે સક્રિય કેસોની ટકાવારી પણ વધીને 1.15 થઈ ગઇ છે. એક તરફ, સમગ્ર દિવસ દરમિયાન 41,965 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 33,964 લોકો ઠીક થયા છે. આ રીતે, એક જ દિવસમાં 8,000 જેટલા સક્રિય કેસનો વધારો થયો છે. એટલું જ નહીં, નવા કેસોમાં વધારો થવાને કારણે રિકવરી રેટ પણ ઘટી રહ્યો છે. હાલમાં, તે 97.51 ટકા છે, જે અગાઉ 98 ટકા થઈ ગયો હતો. આ સિવાય, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ 2.58 % સુધી પહોંચી ગયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.61% છે. છેલ્લા એક સપ્તાહ પહેલા, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2 ટકાથી ઓછો હતો. આવી સ્થિતિમાં, સમજી શકાય છે કે નવા કેસોમાં વધારાએ કેવી રીતે સંકટ વધાર્યુ છે.
આ પણ વાંચો – મોટો નિર્ણય / આજથી ખુલશે ધોરણ 9થી 12 ની શાળાઓ, વિદ્યાર્થીઓએ કડક પ્રોટોકોલનું પાલન કરવું પડશે
જો કે, પરિસ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે અને સંખ્યા 50,000 નાં મનોવૈજ્ઞાનિક આંકડા કરતા ઓછી છે. જો કે, આ દરમિયાન, રાહતનાં સમાચાર એ છે કે દેશમાં રસીકરણ ઝડપથી થઈ રહ્યું છે અને કદાચ આ કારણોસર કોરોનાની ત્રીજી લહેરને ટાળવામાં સફળતા મળી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણને કારણે ત્રીજી લહેર પ્રથમ લહેરની જેમ ઘાતક નહીં હોય અને તેની તીવ્રતા બીજી લહેરની સરખામણીમાં માત્ર એક ચતુર્થાંશ હશે.