પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ચેતલામાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા સંમેલન દરમિયાન બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ અમારી સાથે રાજકીય લડાઈ જીતી શકતા નથી. તેથી તે ટીએમસીને રોકવા માટે તપાસ એજન્સીઓની મદદ લઇ રહ્યા છે
અફઘાનિસ્તાન / તાલિબાન પ્રત્યે ફારૂક અબ્દુલ્લાનો પ્રેમ બહાર આવ્યો, કહ્યુ- સુશાસનની છે આશા
મમતા બેનર્જીએ કહ્યું હતું કે તે અવારનવાર એજન્શી સામે બોલાી રહ્યા છે પરતું નારદ સ્ટિગંમાં જેમનાી ખરેખર નામ છે તેમને બોલાવી રહ્યા નથી તેમણે વધુમાં કહ્યું હતું કે ભગવાન જ જાણે છે કે 2021ની ચૂંટણી તેમણે કેવી રીતે કરાવી હતી. આ સંબોધન એક ટીએમસીના કાર્યક્રમમાં કરી હતી.

કેન્દ્ર સરકાર ઘણું જૂઠું બોલે છે, તેઓ અમને હરાવી શકતા નથી તેથી એજન્શીઓનો સહારો લે છે . નંદીગ્રામમાં મારા પર હુમલા પાછળ કાવતરું હતું. એક હજારથી વધુ ગુંડાઓ તેમણે બંઘાળમાં બોલાવ્યા હતા અને રાજ્યમાં અરાજકતા ફેલાવી હતી . મમતા બેનર્જીએ કોલસા કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભત્રીજા અભિષેક બેનર્જીની પૂછપરછ કરવા માટે કેન્દ્ર પર હુમલો પણ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ બદલાની રાજનીતિ કરી રહી છે, અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને નિશાન બનાવી રહી છે.
એન્ટિલિયા કેસ / કયા કારણોસર નીતા અંબાણીએ રદ્દ કર્યો ગુજરાત પ્રવાસ, જાણો સમગ્ર મામલો
મમતા એ વધુમાં જણાવ્યું હતું કે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ટીએમસી નેતાઓને બોલાવવામાં આવી રહ્યા છે. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપે ઘડેલા ષડયંત્રને કારણે તેમને ફરીથી પેટાચૂંટણીમાં જવું પડી રહ્યું છે.
