મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાને 19 દિવસ બાદ પણ સરકારની રચના અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ નથી. શિવસેના અને ભાજપ વચ્ચે સીએમ પદને લઈને લાંબા ઝઘડા બાદ શિવસેના એનડીએથી છૂટુ પડી ગયુ છે અને કેન્દ્રમાં પાર્ટીનાં એકમાત્ર મંત્રી અરવિંદ સાવંતે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. હવે શિવસેનાને એનસીપીનો સરકાર રચવાનો વિશ્વાસ છે અને એનસીપી કોંગ્રેસ પર ભરોસો રાખે છે. રાજ્યપાલે મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યા સુધી એનસીપીને સરકાર રચવા માટેનો સમય આપ્યો છે. દરમિયાન, એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ખુલાસો કર્યો છે કે મહારાષ્ટ્ર સંકટ વચ્ચે તેમની પાર્ટીનાં બે ધારાસભ્યો કોને સમર્થન કરશે.
. @aimim_national has 2 MLAs in Maharashtra & we will not be supporting the Shiv Sena-Congress government. A letter to the same effect will be sent to the Governor of Maharashtra briefly
— Asaduddin Owaisi (@asadowaisi) November 11, 2019
એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું, ‘મહારાષ્ટ્રમાં AIMIM નાં બે ધારાસભ્યો છે અને અમે શિવસેના-કોંગ્રેસ સરકારને સમર્થન નહીં આપીએ. આ અંગે ટૂંક સમયમાં મહારાષ્ટ્રનાં રાજ્યપાલને એક પત્ર મોકલવામાં આવશે. ઓવૈસીએ વધુમાં લખ્યું છે કે ‘કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ કેટલા સમય સુધી ધર્મનિરપેક્ષતાનું પ્રમાણપત્ર વહેંચતા ફરશે. તમે જેનો હાથ પકડ્યો તે સેક્યુલર? આપણે જાણીએ છીએ કે શિવસેનાની વિચારસરણી શું છે, આપણે જાણીએ છીએ કે ભાજપ શું વિચારે છે, આ ભાજપ અને શિવસેના બંને હિન્દુત્વમાં વિશ્વાસ રાખનારા છે અને તેઓ ક્યારેય બદલાશે નહીં.’
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનાં સમર્થનની જરૂર છે. મહારાષ્ટ્રમાં ભાજપ પાસે હાલમાં 105 ધારાસભ્યો છે, શિવસેના 56, એનસીપીની 54 અને કોંગ્રેસની 44 બેઠકો છે. આવી સ્થિતિમાં જો શિવસેના-એનસીપીને સરકાર બનાવવા માટે સાથે લેશે તો તેને કોંગ્રેસનાં ટેકાની પણ જરૂર રહેશે. સોમવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ પક્ષ તરફથી નિવેદન આવ્યું છે કે તેઓ હજી પણ મહારાષ્ટ્રમાં સરકારની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે અને તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વળી એનસીપીએ મંગળવારે એક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને કારણે મહારાષ્ટ્રમાં સરકારની રચના મોડી થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
