બનાસકાંઠાઃ સાધ્વી જશ્રીગીરી સામે પ્રોહિબિસનના કેસમાં જામાન નાં મંજૂર કરી દેવામાં આવ્યા છે. સાધ્વીને જે જિલ્લાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે સુપ્રિમ કર્ટને ટાંકતા જણાવ્યું હતું કે, ધર્મના નામે ગુન્હા કરતા લોકોને સજા મળવી જોઇએ સરકારી વકીલે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, લાખો લોકો સાથે જોડાયેલી આસ્થા સાથે આ કાર્ય યોગ્ય નથી.
સાધ્વી જયશ્રીગીરીના મુક્તેશ્વરધામમાંથી 2 કિલો 400 ગ્રામ સોનાના બિસ્કીટ, વિદેશી દારૂની બોટલ તેમજ નવી 1 કરોડ 29 લાખની ચલણી નોટો મળી આવી હતી. સાધ્વી સામે અલગ અલગ ગુનામાં કુલ 6 ફરિયાદ નોધાઇ હતી.