હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બુધવારે કહ્યું કે, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને જોખમની આશંકાના આધારે Z+ સુરક્ષા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જો કોઈ કેદી, પછી તે જેલમાં હોય કે ફર્લો પર હોય, જોખમમાં હોય, તો તેને સુરક્ષા પૂરી પાડવાની સરકારની ફરજ છે.
આ પણ વાંચો:ભાજપના ધારાસભ્યએ કાન પકડીને કરી ઉઠક-બેઠક, આ માટે જનતાની માંગી માફી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડેરા સચ્ચા સૌદાના વડાને હરિયાણાની જેલમાંથી ‘ફર્લો’ (એક પ્રકારની રજા) પર 21 દિવસની છૂટ દરમિયાન Z+ સુરક્ષા આપવામાં આવી છે કારણ કે સિંહના જીવને “ખાલિસ્તાન તરફી” તત્વો દ્વારા ખતરો હતો. ડેરા પ્રમુખ સિરસામાં તેના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.
બળાત્કારના ગુનેગાર રામ રહીમને કેમ મળે છે Z+ સુરક્ષા?
ખટ્ટરે પંચકુલામાં એક કાર્યક્રમની બાજુમાં પત્રકારોને કહ્યું, “ખતરાની આશંકાનાં આધારે વ્યક્તિને સુરક્ષા આપવામાં આવે છે. જો કોઈ કેદી, પછી તે જેલમાં હોય કે ફર્લો પર હોય, જોખમમાં હોય, તો તેને સુરક્ષા આપવાની સરકારની ફરજ છે. એવું નથી કે તેણે (ગુરમીત રામ રહીમ) Z+ સિક્યોરિટી માંગી છે, જ્યાં સુધી તે જોખમમાં છે ત્યાં સુધી સુરક્ષા આપવાની અમારી ફરજ છે.
આ પણ વાંચો: RSSના પદાધિકારીઓની બેઠક યોજાશે, હિજાબ વિવાદ, કોરોના સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા
આ પણ વાંચો:/ હળવદના યુવાનને ઢોર માર,પોલીસે આરોપીઓની કરી ધરપકડ