વિવાદિત નિવેદન/ “રામ બપોરે સીતા સાથે બેસતા હતા અને રાત્રે પીતા હતા”, તેઓ આદર્શ ન હતા: નિવૃત્ત પ્રોફેસરનું નિવેદન

નિવૃત્ત પ્રોફેસર કેએસ ભગવાને ભગવાન શ્રી રામ પર વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે (ભગવાન) રામ બપોરે સીતા સાથે બેસતા હતા અને રાત્રે એકલા દારૂ પીતા હતા.

Top Stories India
રામ

કન્નડ લેખક અને નિવૃત્ત પ્રોફેસર કેએસ ભગવાને ભગવાન શ્રી રામ પર વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે (ભગવાન) રામ બપોરે સીતા સાથે બેસતા હતા અને રાત્રે એકલા દારૂ પીતા હતા. તેમણે તેમની પત્ની સીતાને જંગલમાં મોકલી દીધા અને તેમની પરવા પણ કરી નહીં. તેમણે ઝાડ નીચે તપસ્યા કરી રહેલા શૂદ્ર શમ્બુકનું માથું કાપી નાખ્યું. તે કેવી રીતે આદર્શ બની શકે?

કર્ણાટકના માંડ્યામાં કેએસ ભગવાને ભગવાન શ્રીરામ પર ખૂબ જ વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમના નિવેદનમાં કેએસ ભગવાને કહ્યું, “રામ રાજ્ય બનાવવાની વાત થઈ રહી છે… વાલ્મીકિ રામાયણનો ઉત્તરકાંડ વાંચવાથી ખબર પડે છે કે (ભગવાન) રામ આદર્શ ન હતા. તેમણે 11,000 વર્ષ સુધી શાસન કર્યું ન હતું, પરંતુ માત્ર 11 વર્ષ શાસન કર્યું હતું.

કેએસ ભગવાન અહીં જ ન અટક્યા. તેમણે આગળ કહ્યું, “રામ બપોરે સીતા સાથે બેસતા અને રાત્રે એકલા દારૂ પીતા હતા. તેમણે તેમની પત્ની સીતાને જંગલમાં મોકલ્યા હતા અને તેમની પરવા કરી ન હતી. એટલું જ નહીં, તેમણે એક ઝાડ નીચે બેસીને તપસ્યા કરી રહેલા શૂદ્ર યુવક શમ્બુકાનો શિરચ્છેદ કર્યો હતો.” તેઓ કેવી રીતે આદર્શ હોઈ શકે?”

ભાજપે કડક કાર્યવાહીની કરી માંગ

કેએસ ભગવાનના આ નિવેદન પર કર્ણાટક ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાર્ટીના એક નેતા વિવેક રેડ્ડીએ કહ્યું કે આવા લોકોનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. લેખકનું નિવેદન તેમની માનસિકતા દર્શાવે છે.

આ પણ વાંચો: આજે આકાશમાં શનિ અને શુક્ર ગ્રહ એકબીજાની ખુબ નજીક જોવા મળશે, આ નજારો જોવાનું ચૂકતા નહીં

આ પણ વાંચો:ભારત જોડો યાત્રા કડક સુરક્ષા વચ્ચે કઠુઆના હિરાનગરથી શરૂ,PDPના અધ્યક્ષ મહેબુબા મુફતી પણ યાત્રામાં જોડાશે

આ પણ વાંચો: ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઇ