કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક પહેલા કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીએ આજે જનપથ ખાતે પાર્ટીના સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક બોલાવી છે. આપને જણાવી દઈએ કે આજે સાંજે 4 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળવાની છે. આ બંને બેઠકમાં પાંચ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર અંગે મંથન થઈ શકે છે. આ સાથે આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ કેવી તૈયારી કરશે તેની પણ ચર્ચા થઈ શકે છે.
આ બેઠકમાં પાંચ રાજ્યોની તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન, હારના કારણો અને પાર્ટીની વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી શકે છે.પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં પંજાબની સત્તા પણ હાથમાંથી નીકળી ગઈ છે. આ પછી પાર્ટી નેતૃત્વ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2017માં 10 વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં આવી હતી.
Congress Parliamentary Party (CPP) chairperson Sonia Gandhi has called a meeting of the party's parliamentary strategy group at 10.30 am at 10 Janpath tomorrow
— ANI (@ANI) March 12, 2022
પાંચ રાજ્યોમાં મળેલી કારમી હારને કારણે કોંગ્રેસનું ભવિષ્ય લટકતું જોવા મળી રહ્યું છે. આ હાર બાદ શુક્રવારે પાર્ટીના જી-23 જૂથના ઘણા નેતાઓએ બેઠક યોજી હતી. આ બેઠકમાં વધુ વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારીએ રાજ્યસભાના ભૂતપૂર્વ નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે હાલમાં આ નેતાઓ તરફથી કોઈ જાહેર નિવેદન આવ્યું નથી.
