જવાબ/ CJIએ CBI પર ઉઠાવ્યા હતા સવાલ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાણો શું આપ્યો જવાબ,જાણો

એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે શાસક પક્ષ સીબીઆઈનો ઉપયોગ કરે છે. “કેટલાક અધિકારીઓને કારણે સમસ્યા હતી પરંતુ હવે તેઓ અધિકારીઓ નથી.

Top Stories India

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સીબીઆઈ હવે “પાંજરાનો પોપટ” નથી જે કોઈના ઈશારે કામ કરે છે. તેમણે કહ્યું કે હવે સૌથી મોટી ગુનાહિત તપાસ એજન્સી પોતાની ફરજ પૂરી કરી રહી છે. “એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે શાસક પક્ષ સીબીઆઈનો ઉપયોગ કરે છે. “કેટલાક અધિકારીઓને કારણે સમસ્યા હતી પરંતુ હવે તેઓ અધિકારીઓ નથી.

રવિવારે એક ટ્વિટમાં કિરેન રિજિજુએ કહ્યું કે, CBI હવે પિંજરામાં બંધ પોપટ નથી. તે ભારતની સૌથી મોટી તપાસ એજન્સી તરીકે તેની ફરજો નિભાવે છે. તેણે સીબીઆઈ અધિકારીઓની પ્રથમ કોન્ફરન્સનો વીડિયો પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે જે વડાપ્રધાન છે, તેઓ પોતે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

નોંધનીય છે કે  1 એપ્રિલના રોજ ડીપી કોહલી મેમોરિયલ લેક્ચરમાં ચીફ જસ્ટિસ એ.વી. રમનાએ કહ્યું હતું કે સીબીઆઈની વિશ્વસનીયતા પર કેટલાક સવાલો ઉભા થયા છે. કેટલાક કિસ્સાઓમાં, સમય વીતવાની સાથે, સીબીઆઈની કાર્યવાહી અથવા નિષ્ક્રિયતા પ્રશ્નના ઘેરામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તમામ તપાસ એજન્સીઓને એક છત નીચે લાવવા માટે એક સ્વતંત્ર સંસ્થા બનાવવામાં આવે.