વડોદરામાં ઉંબરો નામના ગ્રુપ સાથે સંકળાયેલા સભ્યો દ્વારા બાળકો માટે ગણેશ પ્રતિમા બનાવવાની એક અનોખી તાલીમ શાળા શરૂ કરવામાં આવી છે.ગ્રુપના સભ્યો દ્વારા શહેરના નાગરિકો તેમજ બાળકોને ગણેશ પ્રતિમા બનાવવાની તાલીમ આપી સમાજમાં એક સકારાત્મક સંદેશ સાથે પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ ગ્રુપના સભ્યો દ્વારા મોટા પ્રમાણમાં બાળકોને પ્રતિમા બનાવવાની તાલીમ આપવામાં આવી છે.પ્રતિમા બનાવવા ની સાથે સાથે બાળકો ને માટી ની પ્રતિમા નું મહત્વ તેમજ પીઓપીથી થતા નુકસાન અંગે જાગૃત કરવામાં આવે છે.ત્યારે ઉંબરો ગ્રુપની આ અનોખી મુહિમ સાચા અર્થમાં પ્રભુ ભક્તિ અને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપી જાય છે.
આપણે આજે વાત કરી રહ્યા છીએ ગણેશ પ્રતિમાની..ગણેશ ચતુર્થી ને હવે માત્ર એક દિવસ આડે છે ત્યારે શહેરના ઉંબરો નામના ગ્રુપ સાથે સંકળાયેલા સભ્યો દ્વારા બાળકો માટે ગણેશ પ્રતિમા બનાવવા ની એક અનોખી તાલીમ શાળા શરૂ કરવામાં આવી છે.ગ્રુપ ના સભ્યો દ્વારા શહેરના નાગરિકો તેમજ બાળકો ને ગણેશ પ્રતિમા બનાવવા ની તાલીમ આપી સમાજ માં એક સકારાત્મક સંદેશ સાથે પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ ગ્રુપના સભ્યો દ્વારા મોટા પ્રમાણમાં બાળકો ને પ્રતિમા બનાવવાની તાલીમ આપવામાં આવી છે.
બાળકો ને ગણેશજી ની માટી ની પ્રતિમા બનાવવાની તાલીમ આપવામાં આવે છે ત્યારે અહી આવતા બાળકો પોતેજ પોતાની ગણેશ પ્રતિમા બનાવી પોતાના ઘરે સ્થાપિત કરતા હોય છે.બાળક જ્યારે પોતેજ પોતાના હાથ થી પ્રતિમા બનાવે ત્યારે તે અલગ લાગણી સાથે બંધાય છે.આ ગ્રુપ દ્વારા નાગરિકો કે બાળકો પાસે તાલીમ પેટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.પ્રતિમા બનાવવા ની સાથે સાથે બાળકો ને માટી ની પ્રતિમા નું મહત્વ તેમજ પીઓપી થી થતા નુકસાન અંગે જાગૃત કરવામાં આવે છે.ત્યારે ઉંબરો ગ્રુપ ની આ અનોખી મુહિમ સાચા અર્થમાં પ્રભુ ભક્તિ અને પ્રકૃતિ પ્રેમ નો સંદેશો આપી જાય છે.
આ પણ વાંચો:વિશ્વવિખ્યાત યોગગુરુ પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજી થયા બ્રહ્મલીન
આ પણ વાંચો:આત્મનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ IAC “વિક્રાંત”