રાજસ્થાન કોંગ્રેસનના એક નેતા ચાહતા તો હતા કે પોતાનું નામ રોશન થાય અને પોતાની ફેસબુક પ્રોફાઇલમાં પણ બાયોડેટામાં લખ્યું હતું કે “કુચ એસા કરના ચાહતા હુ કે નામ રોશન હો” પણ રાજસ્થાનના આ નેતા એ કરી નાંખ્યું એવું કામ કે હવે તે નેતા બદનામ થઇ ગયા છે. નામ રોશન કરવાની ઘેલછામાં રાજસ્થાનના ગોપાલ જનવા નામના કોંગ્રેસી નેતા અફીણ વેચવાના સપ્લાયર બની ગયા હતા અને છેવટે સુરત પોલીસની ગીરફતમાં આવી ગયા છે.
સુરતના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા પપ્પુસિંગ રાજપૂત નામના વ્યક્તિએ રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા ગોપાલ નામના ઈસમ પાસેથી અફીણનો જથ્થો મંગાવ્યો છે. પપ્પુસિંગ રાજપૂત અફીણનો જથ્થો લેવા માટે નિયોલ ચેકપોસ્ટ અંબાબા કોલેજ પાસે આવવાનો છે.
તેથી બાતમીના આધારે પોલીસે અંબાબા કોલેજ પાસે વોચ ગોઠવી હતી અને જ્યારે ગોપાલ પપ્પુસિંગને અફીણનો જથ્થો આપવા આવ્યો તરત જ પોલીસે ગોપાલ અને પપ્પુસિંગની અફીણના જથ્થા સાથે ધરપકડ કરી હતી. પોલીસે 1 કિલો 14 ગ્રામ અફીણનો જથ્થો કે, જેની કિંમત 5,07,000 હજાર રૂપિયા થાય છે તે જપ્ત કર્યો છે ઉપરાંત અંગજડતીના રોકડા રૂપિયા 15,120, 3 મોબાઈલ, કોલેજ બેગ તેમજ એક મોટરસાયકલ મળીને કુલ 6,17,120નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે સારોલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, અફીણનો મુદ્દામાલ લાવનાર ગોપાલલાલ જનવા કે, જે ખેતી કામ કરે છે અને રાજસ્થાનના ચિત્તોડગઢના બોહેડ ગામનો રહેવાસી છે. પપ્પુસિંહ રાજપુત જે છૂટક ડ્રાઇવિંગ કામ કરે છે અને ગોડાદરા વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના સામુજા ગામનો વતની છે. આ બંને ઈસમોની પૂછપરછ માં સામે આવ્યું હતું કે, ગોપાલને આ જથ્થો રાજસ્થાનના ઉદયપુરના નારણપુરા ગામમાં રહેતા શોભાલાલ સુથાર દ્વારા આપવામાં આવ્યો હતો. તેથી પોલીસે શોભાલાલ સુથાર તેમજ જથ્થો મંગાવનારા બીજા આરોપી પપ્પુસિંગના પુત્ર મહેન્દ્રસિંહ રાજપુતને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. જોકે આ બંને છેલ્લા કેટલા સમયથી અફીણના જથ્થાની હેરફેર કરતા હતા તે બાબતે પોલીસ દ્વારા તપાસા ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે તપાસ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:પ્રેમીને વીડિયો કોલ કરી પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ
આ પણ વાંચો:મહુવામાં આધેડને ઢોરે અડફેટે લેતાં મોત, તંત્ર સામે રોષ
આ પણ વાંચો:કોરોના બાદ પ્રથમવાર યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
આ પણ વાંચો:રાજકોટમાં 3 પરિવારના ઘરનો આધાર સ્થંભ તૂટ્યો, હાર્ટ એટેકથી 3 આશાષ્પદ વ્યક્તિના મોત