આજથી બરાબર 14 વર્ષ પહેલા 26/11ના દિવસે મુંબઈમાં લશ્કર-એ-તૈયબાના ઘાતક આતંકવાદી હુમલાએ સમગ્ર મુંબઈ શહેર અને તેના મૂળને હચમચાવી નાખ્યા હતા. આ ભયાનક હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલો એટલો ભયાનક હતો કે આજે પણ તે દિવસને યાદ કરીને લોકોનો આત્મા કંપી ઉઠે છે. આજે એટલે કે 26 નવેમ્બર શનિવારના રોજ આ હુમલાને 14 વર્ષ પૂર્ણ થયા છે. જેને યાદ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, અમિત શાહ સહિત અનેક મોટા રાજનેતાઓએ શહીદોને યાદ કર્યા છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે 26/11ના મુંબઈ આતંકી હુમલાની વરસી પર દેશ તેમને બધાને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. જેને આપણે ગુમાવ્યા અમે તેમના સ્નેહીજનો અને પરિવારોની નિરંતર પીડાને શેર કરીએ છીએ. રાષ્ટ્ર સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પે છે જેમણે બહાદુરીથી લડ્યા અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું.
આ દિવસે થયેલા હુમલાને યાદ કરતાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે 26/11ના મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારાઓને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આપણા બહાદુર સુરક્ષાકર્મીઓને યાદ કરું છું અને સલામ કરું છું જેમણે લડાઈ લડતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આજનો દિવસ સમગ્ર વિશ્વને આતંકવાદ સામે એક થઈને લડવાનો સંદેશ આપે છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની વરસી પર હું તે તમામ લોકોની સ્મૃતિને નમન કરું છું. જેઓએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. આ હુમલાનો સામનો કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપનાર સુરક્ષા જવાનોને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. આ દેશ 26/11ની ઘટનાને ભૂલ્યો નથી અને ક્યારેય ભૂલી શકશે નહીં.
આ પણ વાંચો:રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન ધક્કા-મુક્કી, જમીન પર પડ્યા દિગ્વિજય સિંહ
આ પણ વાંચો: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં દિગ્વિજયસિંહ પડી ગયા
આ પણ વાંચો:AAPના મંત્રીનો વધુ એક વીડિયો થયો વાયરલ, BJP બોલી – દરબારમાં આ વખતે સસ્પેન્ડેડ જેલ સુપ્રિટેન્ડેન્ટ