Earthquake in Pithoragarh, Uttarakhand: રવિવારે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી. ભૂકંપની તીવ્રતા વધુ ન હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપ સવારે 8.58 કલાકે આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢની આસપાસ હતું. ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યા પર આવી ગયા હતા.લોકોમાં ભારે દહેશત જોવા મળી હતી, ઘરની બહાર લોકો દોડી આવ્યા હતા. ઘરોમાં રાખેલી ખુરશીઓ અને પથારીઓ ધ્રૂજવા લાગી. પછી ખબર પડી કે ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ પૃથ્વીની નીચે 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. તેનું અક્ષાંશ 29.78 અને રેખાંશ 80.13 હતું.
An earthquake of magnitude 3.8 occurred on January 22 at 8.58 IST, Latitude: 29.78 & Longitude: 80.13, Depth: 10 Km, Location: 23km NNW of Pithoragarh, Uttarakhand, India: National Center for Seismology pic.twitter.com/wZo9k84Y1c
— ANI (@ANI) January 22, 2023
ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. આ ભૂકંપ બપોરે 2.19 કલાકે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો હતો કે તેનું અક્ષાંશ 30.87 હતું અને રેખાંશ 78.19 હતું. તેમજ તેની ઊંડાઈ 5 કિમી નોંધવામાં આવી હતી.
ભૂકંપ શા માટે થાય છે
પૃથ્વીની અંદર હંમેશા ઉથલપાથલ થતી રહે છે. જમીનની અંદરની પ્લેટો એકબીજા સાથે અથડાતી રહે છે જેના કારણે દર વર્ષે ભૂકંપ આવતા રહે છે. ધરતીકંપનું વિજ્ઞાન સમજતા પહેલા આપણે પૃથ્વીની નીચે હાજર પ્લેટોની રચનાને સમજવી પડશે. આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. જ્યારે આ પ્લેટો અથડાય છે ત્યારે જે ઊર્જા બહાર પડે છે તેને ભૂકંપ કહેવાય છે.
