Sudhir Verma: ટોલીવુડ ઈન્ડસ્ટ્રી માટે એક ખરાબ સમાચાર છે. તેલુગુ અભિનેતા સુધીર વર્માએ સોમવારે 23 જાન્યુઆરીએ આત્મહત્યા કરી હતી. આ સમાચારની જાણકારી મળ્યા બાદ બધા ચોંકી ગયા છે. ભિનેતાએ વિશાખાપટ્ટનમ સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે. જો કે આ ઘટના પાછળનું કોઈ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તાજેતરના અહેવાલો અનુસાર, સુધીર વર્માએ પોતાના અંગત કારણોસર આત્મહત્યા જેવું ભયંકર પગલું ભર્યું છે.
Sudheer! @sudheervarmak Such a lovely and warm guy’ It was great knowing you and working with you brother! Can’t digest the fact that you are no more! Om Shanti!🙏🙏🙏 @iChandiniC @vara_mullapudi @anil_anilbhanu pic.twitter.com/Sw7KdTRkpG
— Sudhakar Komakula (@UrsSudhakarK) January 23, 2023
માત્ર 33 વર્ષની ઉંમરમાં એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. તે જ સમયે, અભિનેતાના મૃત્યુની માહિતી તેના કો-સ્ટાર સુધાકર કોમકુલાએ શેર કરી છે. સુધાકરે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ દ્વારા જણાવ્યું કે અભિનેતા હવે આ દુનિયામાં નથી. સાથે જ લખ્યું કે, ‘તમને મળવાનો અને તમારી સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો! તે માનવું મુશ્કેલ છે કે તમે હવે અમારી સાથે નથી! ઓમ શાંતિ!’
માત્ર 33 વર્ષની ઉંમરમાં એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાના મૃત્યુની માહિતી તેના કો-સ્ટાર સુધાકર કોમકુલાએ શેર કરી છે. સુધાકરે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ દ્વારા જણાવ્યું કે અભિનેતા હવે આ દુનિયામાં નથી. સાથે જ લખ્યું કે, ‘તમને મળવાનો અને તમારી સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો! તે માનવું મુશ્કેલ છે કે તમે હવે અમારી સાથે નથી! ઓમ શાંતિ!’
સુધાકર કોમકુલા જેમણે દિવંગત અભિનેતા સુધીર વર્મા સાથે ફિલ્મ ‘કુંદનપુ બોમ્મા’માં કામ કર્યું હતું. આ સિવાય વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સુધીર વર્માએ વર્ષ 2013માં ફિલ્મ ‘સ્વામી રા રા’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ, તેની ડેબ્યૂ ફિલ્મથી તેને વધારે ઓળખ મળી ન હતી. બાદમાં ફિલ્મ ‘કુંદનપુ બોમ્મા’એ તેમને લોકપ્રિયતા અપાવી. આ ફિલ્મ તેની કારકિર્દીની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હતી.
