PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના આરોગ્ય પ્રધાન નબ કિશોર દાસના ગોળી વાગવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું, “ઓડિશા સરકારમાં મંત્રી નબા દાસના દુર્ભાગ્યપૂર્ણ અવસાનથી દુઃખી છું. આ દુઃખદ ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના અને ઓમ શાંતિ.”
(PM Modi)ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આરોગ્ય પ્રધાન નાબ કિશોર દાસના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઘટનાથી હું આઘાત અને પરેશાન છું. નબ કિશોર દાસ અમારી સરકાર અને પાર્ટીની સંપત્તિ હતા. સીએમએ એક નિવેદનમાં કહ્યું કે મંત્રી નબ દાસના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અવસાનથી હું આઘાત અને દુઃખી છું. સીએમએ કહ્યું, ડોક્ટરોએ તેનો જીવ બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા, પરંતુ કમનસીબે તેઆ બચી શક્યા નહીં.મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે લોકો માટે આરોગ્ય વિભાગમાં સફળતાપૂર્વક અનેક પહેલ કરી છે. સીએમ પટનાયકે કહ્યું કે, એક નેતા તરીકે તેમણે બીજુ જનતા દળને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
(PM Modi)દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ નબા દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “ઓડિશા સરકારમાં મંત્રી, નબ કિશોર દાસનું નિધન અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ભગવાન તેમના પરિવારના સભ્યોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.
મંત્રી નબા દાસને ગોળી મારનાર ASI ગોપાલ દાસની પત્ની જયંતિ દાસે કહ્યું કે તે માનસિક રીતે અસ્થિર હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તેણે સવારે 11 વાગ્યે અમારી દીકરીને વિડિયો કૉલ કર્યો, પછી અચાનક ફોન કાઢી નાખ્યો કે કોઈએ ફોન કર્યો એટલે જવું પડશે.
India T20 Win/ બીજી ટી-20માં ભારત ન્યૂઝીલેન્ડ સામે માંડ-માંડ જીત્યું, સિરીઝ 1-1થી બરોબર
Fashion Show/ કચ્છ રનમાં ‘ઉત્કૃષ્ટ ખાદી’ નામના ફેશન શોનું કરવામાં આવ્યું આયોજન, ખાદીને લોકપ્રિય બનાવવાનો હેતુ
Pakistan/ ઈમરાન ખાન પાકિસ્તાનમાં હિંસાનું કારણ બની શકે છે? રક્ષા મંત્રીએ પીટીઆઈ અધ્યક્ષની ધરપકડના આપ્યા સંકેત
Khalistan Supporters/ ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી ગુંડાગીરી કરી, તિરંગો ફરકાવતા વિદ્યાર્થીઓ પર હુમલો
પ્રહાર/ સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર ગુસ્સે થયા BJP MLA, કહી આ મોટી વાત
