Police Commissioner/ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે IPS પ્રેમવીરસિંહને સોપાયો વધારાનો ચાર્જ, CP સંજય શ્રીવાસ્તવ થાય છે વય નિવૃત

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વય મર્યાદાના કારણે તેઓ 30મી એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે, તેવામાં અમદાવાદ શહેર પોલીસનું સુકાન સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવીર સિંહને વધારાનો  ચાર્જ સોંપવામાં આવ્યો છે

Top Stories Gujarat

આખરે અમદાવાદીઓની આતુરતાનો અંત
અમદાવાદ શહેર કમિશ્નરનો ચાર્જ સોંપાયો
સંયુક્ત પો.કમિશ્નર (ક્રાઈમ)ને સોંપાયો વધારાનો ચાર્જ
IPS પ્રેમવીરસિંહને સોંપાયો વધારાનો ચાર્જ
અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અપાયો વધારાનો ચાર્જ
વર્તમાન CP સંજય શ્રીવાસ્તવ થાય છે વય નિવૃત

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વય મર્યાદાના કારણે તેઓ 30મી એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે, તેવામાં અમદાવાદ શહેર પોલીસનું સુકાન સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવીર સિંહને વધારાનો  ચાર્જ સોંપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના કમિશનર પદ પર હવે પ્રેમવીર સિંહને સોપાયો છે, જયા સુધી અન્ય હુકમ ન થાય ત્યા સુધી આઇપીએસ પ્રેમવીર સિંહને ચાર્જ સોંપાયો છે.

ઉલ્લેખનીય છે કે 30મી એપ્રિલે રવિવાર હોવાથી શનિવારે સાંજે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર પદેથી નિવૃત થઈ જશે. અમદાવાદ પોલીસ બેડામાં છેલ્લા ઘણા દિવસોથી જે નામોની ચર્ચા ચાલતી હતી તેના પર પૂર્ણ વિરામ મૂકાઇ ગયું છે.