જમ્મુ-કાશ્મીર/ કિશ્તવાડમાં ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર થયું ક્રુઝર વાહન, 7 લોકોના મોત

ડાંગદુરુ પાવર પ્રોજેક્ટમાં એક ક્રુઝર વાહનનો માર્ગ અકસ્માત થયો હતો. આ વાહન પ્રોજેક્ટના કામદારોને લઈ જઈ રહ્યું હતું. બચાવ કામગીરી ચાલુ છે.

Top Stories India
ક્રુઝર

કિશ્તવાડમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ છે. મળતી માહિતી અનુસાર, ડાંગદુરુ પાવર પ્રોજેક્ટમાં એક ક્રુઝર વાહનનો માર્ગ અકસ્માત થયો હતો. આ વાહન પ્રોજેક્ટના કામદારોને લઈ જઈ રહ્યું હતું. બચાવ કામગીરી ચાલુ છે.

આ ઘટના પર ડીસી કિશ્તવારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,”કિશ્તવાડમાં પાકલ દુલ પ્રોજેક્ટના એક ક્રુઝર વાહનને અકસ્માત થયો હતો, જેમાં 10 લોકો સવાર હતા, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે,”

આ ઘટના પર કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘હમણાં જ ડીસી કિશ્તવાડ ડો. દેવાંશ યાદવ સાથે ડાંગદુરુ ડેમ સાઇટ પર દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે વાત કરી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. જરૂરીયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો:PM મોદીએ UPSC પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આપ્યો આ મંત્ર

આ પણ વાંચો:પાપુઆ ન્યુ ગિની અને ફિજીએ PM મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા

આ પણ વાંચો:જંતર-મંતરથી ઇન્ડિયા ગેટ સુધી કુસ્તીબાજોએ નીકાળી કેન્ડલ માર્ચ,બજરંગ પુનિયાએ જાણો શું કહ્યું….

આ પણ વાંચો:નવી સંસદના ઉદ્ઘાટન સમારોહમાં TMC સામેલ નહીં થાય, પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં છવાયા મોદીઃ A,B,C,D આગળ વધી, હવે C…D…E.. સમજાવ્યા