Protest/ જંતર-મંતરથી ઇન્ડિયા ગેટ સુધી કુસ્તીબાજોએ નીકાળી કેન્ડલ માર્ચ,બજરંગ પુનિયાએ જાણો શું કહ્યું….

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજોએ મંગળવારના રોજ કેન્ડલ માર્ચ કાઢી હતી. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.

Top Stories India
8 1 10 જંતર-મંતરથી ઇન્ડિયા ગેટ સુધી કુસ્તીબાજોએ નીકાળી કેન્ડલ માર્ચ,બજરંગ પુનિયાએ જાણો શું કહ્યું....

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજોએ મંગળવારના રોજ કેન્ડલ માર્ચ કાઢી હતી. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. ખાપના પ્રતિનિધિઓએ પણ આ કૂચમાં ભાગ લીધો હતો. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પણ કુસ્તીબાજોને સમર્થન આપવા ઈન્ડિયા ગેટ પહોંચ્યા હતા.

કેન્ડલ માર્ચમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે અમારી બહેનોનું સન્માન અમારા માટે જીવ કરતા પણ વધારે છે. જ્યાં સુધી દેશની દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન આમ જ ચાલુ રહેશે. ઘણા લોકો આ ચળવળને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, તેથી હું તમને વિનંતી કરું છું કે તમે અમને આ રીતે સમર્થન આપતા રહો.

તેમણે કહ્યું કે ભારતને પ્રેમ કરતા તમામ ધર્મ અને જાતિના લોકોએ સરકારને આ સવાલ પૂછવો જોઈએ કે અમારા ચેમ્પિયન 1 મહિનાથી રસ્તા પર કેમ છે? તેમનું સ્થાન રોડ નહીં પણ અખાડો છે. રેસલર સાક્ષી મલિકે કહ્યું કે આ દેશની દીકરીઓની લડાઈ છે જેમાં તમારે બધાએ અમારો સાથ આપવો પડશે જેથી અમને ન્યાય મળી શકે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી હજારો લોકોએ ન્યાય માટે કૂચ શરૂ કરી હતી. આજે અમારા આંદોલનને એક મહિનો પૂરો થયો છે, પરંતુ હજુ સુધી અમને ન્યાય મળવાની કોઈ આશા દેખાતી નથી. કુસ્તીબાજોના પ્રદર્શનમાં પહોંચેલા પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે તેમને સાંભળવામાં આવી રહ્યાં નથી. જો સરકાર સાચી હોત તો બ્રિજભૂષણ સિંહ જેલમાં હોત. દેશના ઘણા પ્રખ્યાત કુસ્તીબાજો બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે 23 એપ્રિલથી અહીં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સિંહ પર એક સગીર સહિત છ મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે ગયા મહિને ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધી હતી.