મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. ફડણવીસે મહારાષ્ટ્રના અકોલામાં એક રેલીને સંબોધિત કરી હતી. રેલીમાં, તેમણે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને જવાબ આપ્યો અને કહ્યું કે “ઉદ્ધવ ઠાકરે મોદી સાથે સ્પર્ધા કરી શકતા નથી.”ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા બીજેપીના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, “ઘરે બેસીને રાજકારણ કરનારા મોદી-શાહનો મુકાબલો કરી શકતા નથી. કોંગ્રેસ અને એનસીપી સાથે જવાના કારણે ઉદ્ધવ ઠાકરેની દુકાન બંધ થઈ ગઈ છે.”
🕗7.50pm | 18-06-2023📍Tower Chowk (Akola) | संध्या. ७.५० वा | १८-०६-२०२३📍टॉवर चौक (अकोला)
LIVE | मोदी@९ महाजनसंपर्क भव्य सभा
Modi@9 #MahaJanSampark Grand Public Meeting@BJP4Maharashtra @narendramodi #9YearsOfSustainableGrowth #9yearsofseva https://t.co/iozxwDdf8D— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 18, 2023
તેમણે 23 જૂને બિહારની રાજધાની પટનામાં યોજાનારી વિપક્ષની બેઠક પર પણ પ્રહારો કર્યા હતા. ફડણવીસે કહ્યું, “મોદીને હરાવવા માટે વિપક્ષી નેતાઓ પટનામાં એકઠા થઈ રહ્યા છે. 2019માં પણ તમામ પાર્ટીઓ સાથે આવી, શું થયું? બધાએ જોયું કે આ વખતે તસવીરમાં ઉદ્ધવ ઠાકરેનો નવો ચહેરો હશે.”વિપક્ષને લઈને ડેપ્યુટી સીએમએ કહ્યું કે વિપક્ષના નેતાઓ ગમે તેટલા ભેગા થાય, તેઓ એક થઈને વટવૃક્ષ બનાવી શકતા નથી.