ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ઉંડી ખાડીમાં પડી હતી. આ ભયાનક અકસ્માતમાં લગભગ 12 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના મુનિસ્યારીના હોકરા વિસ્તારમાં બની હતી. શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ 600 મીટર ઉંડી ખીણમાં પડી હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી તરત જ પોલીસે બચાવ કાર્ય શરૂ કર્યું. છેલ્લી માહિતી મુજબ જીપમાં સવાર બે લોકો હજુ પણ લાપતા છે.
આઈજી કુમાઉ નિલેશ ભરણેએ જણાવ્યું કે પિથોરાગઢ જિલ્લાના મુનિસ્યારી બ્લોકમાં એક કાર ખાડામાં પડી જતાં 12 લોકોના મોત થયા છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
Uttarakhand | 9 people died and 2 seriously injured after a car fell into a ditch at Munisyari block of Pithoragarh district. Police and SDRF team at the accident spot: Nilesh Bharne, IG Kumaon
(Pics source – Police) pic.twitter.com/l5XIUL0Xtm
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 22, 2023
મળતી માહિતી મુજબ બાગેશ્વરના શમાથી શ્રદ્ધાળુઓ હોકરા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ પહેલા પણ તેમની કાર બેકાબૂ થઈને ખાડામાં પડી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે ગામલોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આશંકા છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
આ પણ વાંચો: સૌને હસાવનારી અમૂલ ગર્લ કેમ અચાનક રડવા લાગી!
આ પણ વાંચો:PM મોદીએ UN હેડક્વાર્ટરમાં યોગ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
આ પણ વાંચો: મણિપુર હિંસા મામલે અમિત શાહે 24 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક
