પર્વતોની ભૂમિ અને દેવતાઓની ભૂમિ ઉત્તરાખંડમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના કારણે શનિવારથી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. સતત વરસાદને કારણે કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. જોકે, આજે સવારે જ સોનપ્રયાગ અને ગૌરીકુંડથી કેટલાક મુસાફરોને યાત્રા માટે મોકલવામાં આવ્યા હતા.
મુસાફરો સોનપ્રયાગમાં રોકાયા
આદેશ જારી કરતા રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે કહ્યું કે વરસાદને જોતા કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. અહીં તીર્થયાત્રા અને દર્શન માટે પહોંચેલા તમામ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હવામાન સારું ન થાય ત્યાં સુધી શ્રદ્ધાળુઓએ કેદારનાથની યાત્રા ટાળવી જોઈએ.
Uttarakhand | "Kedarnath Yatra has been stopped till further orders at Sonprayag due to heavy rainfall in the Rudraprayag district," says Rudraprayag District Magistrate Mayur Dixit
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 25, 2023
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે 10.30 વાગ્યાથી સોનપ્રયાગ અને ગૌરીકુંડથી મુસાફરોને આગળ મોકલવામાં આવી રહ્યા નથી. આ પહેલા સવારે 8 વાગ્યા સુધી સોનપ્રયાગથી કુલ 5828 યાત્રીઓ કેદારનાથ જવા રવાના થયા હતા. રાજ્યભરમાંથી ભારે વરસાદના કારણે માર્ગો બંધ થવા સહિતના નુકસાનના ચિત્રો સામે આવી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં પહોંચી ગયા છે. સીએમ ધામીએ અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સતર્ક રહેવા સૂચના આપી હતી.
આ પણ વાંચો:બાંકુરામાં મોટો ટ્રેન અકસ્માત, 2 માલગાડીઓ સામસામે અથડાઈ, 6 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ડ્રાઈવર ઘાયલ
આ પણ વાંચો:મણિપુર બ્લાસ્ટ કેસની NIA કરશે તપાસ, સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષી નેતાઓએ શું કહ્યું
આ પણ વાંચો:અમેરિકન કંપની માઈક્રોન ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવશે, મોબાઈલ-લેપટોપ સસ્તા થશે
