Political/ ચૂંટણી પંચે શરદ પવારને વધુ ત્રણ સપ્તાહનો આપ્યો સમય! NCP પાર્ટી કોની? ગજગ્રાહ બરકરાર

જ્યારે અજિત પવાર જૂથે પોતાનો જવાબ દાખલ કરી દીધો છે. એટલે કે આ પછી જ નક્કી થશે કે કોનો પક્ષ હશે

Top Stories India

શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વિભાજીત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના નામ અને સત્તાવાર ચિન્હને લઈને વિવાદમાં છે. ચૂંટણી પંચે જારી કરાયેલી નોટિસનો જવાબ આપવા માટે વધુ ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે.  શરદ પવાર જૂથે ચૂંટણી પંચને પત્ર લખીને ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો. હવે તેણે 13 સપ્ટેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવો પડશે. જ્યારે અજિત પવાર જૂથે પોતાનો જવાબ દાખલ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે શરદ પવાર જૂથે ચૂંટણી પંચને પત્ર લખીને ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો. ચૂંટણી પંચે વધુ ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે તેણે 13 સપ્ટેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવો પડશે. જ્યારે અજિત પવાર જૂથે પોતાનો જવાબ દાખલ કરી દીધો છે. એટલે કે આ પછી જ નક્કી થશે કે કોનો પક્ષ હશે.