આસો નવરાત્રીને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રી વર્ષમાં 4 વખત આવે છે. આમાં 2 ગુપ્ત નવરાત્રિ અને 1 ચૈત્ર અને આસો નવરાત્રિ હોય છે. આસો મહિનાની નવરાત્રિ, તેને શારદીય નવરાત્રિ કહેવાય છે. આ નવરાત્રિ ઉત્સવની નવરાત્રી છે. પંચાંગ અનુસાર, આસો નવરાત્રિ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને નવમી સુધી ચાલુ રહે છે. ત્યારબાદ દશેરાના દિવસે દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન થાય છે. આ વર્ષે આસો નવરાત્રી 15મી ઓક્ટોબર 2023થી શરૂ થશે અને 24મી ઓક્ટોબર સુધી ચાલશે.
આસો નવરાત્રી 2023 ની પ્રારંભ તારીખ
હિંદુ કેલેન્ડર મુજબ, અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબરે રાત્રે 11:24 વાગ્યે શરૂ થશે અને 16 ઓક્ટોબરના રોજ સવારે 12:32 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે શારદીય નવરાત્રિ પર્વ એટલે કે 15 ઓક્ટોબર 2023, રવિવારના રોજ ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્ર હશે, જે શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આસો નવરાત્રી 2023 ઘટસ્થાપન સમય
આસો નવરાત્રિ પર ઘટસ્થાપન માટેનો સૌથી શુભ સમય એ અભિજીત મુહૂર્ત છે. આ સિવાય ચિત્રા નક્ષત્ર કલશની સ્થાપના માટે શુભ માનવામાં આવે છે. આ વર્ષે ચિત્રા નક્ષત્ર 14મી ઓક્ટોબરે સાંજે 04.24 વાગ્યાથી 15મી ઓક્ટોબરે સાંજે 06.13 વાગ્યા સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત 15 ઓક્ટોબરે સવારે 11:04 થી 11:50 સુધી રહેશે. આ સમયમાં ઘટસ્થાપન કરવું શુભ રહેશે.
આસો નવરાત્રીની તારીખ અને માતરણીનું સ્વરૂપ
15 ઓક્ટોબર 2023- માતા શૈલપુત્રીની પૂજા
16 ઓક્ટોબર 2023- માતા બ્રહ્મચારિણીની પૂજા
17 ઓક્ટોબર 2023- માતા ચંદ્રઘંટાનું પૂજન
18 ઓક્ટોબર 2023- માતા કુષ્માંડાની પૂજા
19 ઓક્ટોબર 2023- માતા સ્કંદમાતાની પૂજા
20 ઓક્ટોબર 2023- માતા કાત્યાયનીની પૂજા
21 ઓક્ટોબર 2023- મા કાલરાત્રીની પૂજા
22 ઓક્ટોબર 2023- માતા સિદ્ધિદાત્રીની પૂજા
23 ઓક્ટોબર 2023- માતા મહાગૌરીની પૂજા
24 ઓક્ટોબર 2023- વિજયાદશમી (દશેરા)
(અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. MANTVAYA NEWS આની પુષ્ટિ કરતું નથી.)