Swati Maliwal Case: સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. તેણે તીસ હજારી કોર્ટમાં અરજી કરી હતી પરંતુ એડિશનલ સેશન્સ જજ સુશીલ અનુજ ત્યાગીએ તેને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
વિભવ કુમાર પર 13 મેના રોજ દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસ પર સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે બાદમાં તેની ધરપકડ કરી હતી અને કોર્ટના આદેશને પગલે તેને 24 મેના રોજ ચાર દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તે 28 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.
આ પણ વાંચો:શાહજહાંપુરમાં પૂર ઝડપે આવતા ડમ્પરે શ્રદ્ધાળુઓની બસને ટક્કર મારતાં 11નાં મોત, 25 ઘાયલ
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં આજે ‘રેમલ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, NDRF એલર્ટ
આ પણ વાંચો:દેશમાં 24 કલાકમાં અકસ્માતનો વંટોળ, ગુજરાત-યુપી, દિલ્હી અને મુંબઈમાં 45થી વધુ લોકોના મોત