પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ભારે ગરમીના કારણે છેલ્લા ચાર દિવસમાં 450 લોકોના મોત થયા છે. એક અગ્રણી NGO એધી ફાઉન્ડેશને બુધવારે આ દાવો કર્યો છે.
પાકિસ્તાનનું બંદર શહેર કરાચી શનિવારથી ગરમીની લપેટમાં છે. બુધવારે, તાપમાનનો પારો સતત ત્રીજા દિવસે 40 ડિગ્રીને પાર કરી ગયો હતો, જે દરિયાકાંઠાના વિસ્તારો માટે ખૂબ જ ઊંચું તાપમાન છે. ફાઉન્ડેશનના વડા ફૈઝલ એધીએ કહ્યું કે કરાચીમાં અમારી પાસે ચાર શબઘર છે. મૃતદેહો રાખવા માટે જગ્યા બચી નથી.
મોટાભાગના મૃતદેહો રસ્તા પર બેઘર લોકો અને નશાખોરોના છે. તેમણે કહ્યું કે સોમવારે 128 અને મંગળવારે 135 મૃતદેહો શબઘરમાં લાવવામાં આવ્યા હતા. મોટાભાગના મૃતકોની ઓળખ થઈ શકી નથી કારણ કે તેમના પરિવારનો કોઈ સભ્ય દાવો કરવા આગળ આવ્યો નથી.
મૃત્યુના સતત કેસ નોંધાયા પછી, સિંધ સરકારે કરાચીમાં 77 હીટ વેવ રાહત કેન્દ્રો સ્થાપ્યા છે. દેશના દક્ષિણી વિસ્તારોમાં અતિશય તાપમાનને લઈને ગંભીર ચેતવણી વચ્ચે પાકિસ્તાન હવામાન વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. કરાચીની હોસ્પિટલોમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે, જેના કારણે શહેરના તબીબી સંસાધનો પર દબાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો:પાકિસ્તાનમાં હિંદુ સમુદાય અને ખ્રિસ્તી સમુદાય મોબ લિચિંગના શિકાર
આ પણ વાંચો:પ્રખ્યાત અભિનેતાનું થયું નિધન, કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યો આંતરરાષ્ટ્રીય સ્ટાર, તમે પણ ચોંકી જશો
આ પણ વાંચો:અમેરિકાના ટેક્સાસમાં લૂંટારૂઓએ ભારતીય નાગરિકની કરી હત્યા